દેશમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ હજારોની સંખ્યામાં નવા કેસ આવી રહ્યા છે. દેશમાં કોરોનાના દર્દીનો આંક 10 લાખને પાર પહોંચ્યો છે તો દેશમાં રિકવરી રેટ 63.25 ટકા થયો છે. દેશમાં કુલ મોતની સંખ્યા પણ 25 હજારને પાર પહોંચી છે. હવે દેશમાં કુલ કોરોનાના કેસ 10,01,464 થયા છે, જ્યારે કુલ ઍક્ટિવ કેસ 3,41,630ને પાર થયા છે.
દેશમાં કોરોનાનો કહેર વધતા કુલ આંક 10 લાખને પાર
મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ
દેશમાં રિકવરી રેટ 63.25 ટકા તો કુલ મોતનો આંક 25 હજારને પાર
देश में पिछले 24 घंटों में कुल 3,26,826 सैंपल्स का टेस्ट किया गया। अब तक कुल 1,27,39,490 सैंपल्स की जांच की जा चुकी है जो भारत में प्रति मिलियन 9231.5 टेस्ट को दर्शाता है: स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय
ભારતમાં એક જ દિવસમાં સૌથી વધુ 35 હજાર 468 કેસ નોંધાયા છે. તો 24 કલાકમાં જ દેશમાં વધુ 680 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી દેશમાં 25 હજાર 609 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં પણ અત્યાર સુધીના સૌથી વધુ 8 હજાર 641 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 2 લાખ 84 હજારને પાર થયા છે. તમિલનાડુમાં પણ 4 હજાર 549 નવા કેસ નોંધાયા છે અને દિલ્લીમાં નવા કેસનો આંકડો 1 હજાર 652 પર પહોંચ્યો છે. કર્ણાટકમાં 4169, ઉત્તરપ્રદેશમાં 2058 નવા કેસ નોંધાયા છે.
जीत के समीप भारत !
देश में #COVID19 से उत्पन्न स्थिति की चर्चा करते हुए मैंने कहा कि
हमारा रिकवरी रेट 63.25% पर पहुंच गया है ।
देश में #COVID19 संक्रमण के ज़्यादातर मामले मामूली लक्षण वाले हैं।मात्र 0.32% मरीज़ #Ventilator पर हैं और 3% से भी कम मरीज़ों को #oxygen की जरूरत है pic.twitter.com/QWVHPWvWr4
સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે 16 જુલાઈ સવારે કોરોનાના કુલ કેસની સંખ્યા 9,68, 876 હતી અને કોરોનાના કારણે થયેલા મોતની સંખ્યા 24915 હતી. આ સમયે 6 લાખ 12 હજાર 815 દર્દીઓ સાજા થયા હતા. દેશમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા 10 લાખને પાર પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ટ્વિટ કરીને કહ્યું છે કે દેશમાં કોરોનાનો રિકવરી રેટ 63.25 ટકા પહોંચ્યો છે. દેશમાં કોવિડ 19 સંક્રમણના કેસ સામાન્ય લક્ષણો વાળા મળી રહ્યા છે. ફક્ત 0.32 ટકા દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 3 ટકાથી ઓછા દર્દીઓને ઓક્સીજનની જરૂર છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર સૌથી વધારે
દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. અહીં કોરોનાના 284281 કેસ સામે આવ્યા છે. જ્યારે 11194 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં મુંબઈ કોરોનાના કહેરમાં આવી ચૂક્યું છે. અહીં 97950 કેસ નોંધાયા છે. કોરોનાના કારણે મુંબઈમાં 5523 લોકોના મોત થયા છે.
महाराष्ट्र में 8,641 नए कोरोना मामले दर्ज किए गए। सक्रिय मामलों की संख्या 1,14,648 और मरने वालों की संख्या 11,194 हुई। अब तक कुल 1,58,140 मरीज रिकवर हो चुके हैं: राज्य स्वास्थ्य विभाग pic.twitter.com/9Qykm83EZo
ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાના 900થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 919 કેસ નોંધાતા કુલ આંકડો 45567 પર પહોંચ્યો છે. જ્યારે 828 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 31,346 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાએ છેલ્લા 24 કલાકમાં 10 દર્દીનો ભોગ લીધો છે. જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં 2081 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.