કોરોના વાયરસ મહામારીએ વિશ્વભરમાં કહેર વરસાવ્યો છે. તેમ છતા ભારતના પાડોશી દેશ પાકિસ્તાન નાપાક ષડયંત્રો રચવાનું બંધ કરી રહ્યું નથી. એક તરફ જ્યાં પાકિસ્તાની સેના સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે. જ્યારે તેના આતંકી ભારતમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે.
પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે, સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા
સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે શુક્રવારે કહ્યું કે પાકિસ્તાની આતંકવાદી એલઓસીથી રોજ ભારતીય સીમામાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે ભારતીય સેનાએ ગત એક સપ્તાહમાં 15થી વધારે આતંકવાદીઓને ઠાર માર્યા છે.
તેઓએ કહ્યું કે ભારતીય સેના ન માત્ર કોરોના વાયરસ મહામારી સામે લડી રહી છે. પરંતુ બોર્ડર પર આંતકીઓને મુંહતોડ જવાબ આપી રહી છે. ભારત કોરોના મહામારીમાં પડોશી દેશોની મદદ કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદીઓની ઘુસણખોરીમાં લાગ્યું છે.
સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે સાથે કહ્યું કે એલઓસીની પાર લગભગ 20થી 25 સક્રિય આતંકી લોન્ચ પેડ છે અને ભારત સ્થિતિની દેખરેખ રાખી રહ્યું છે. આર્મી ચીફે કહ્યું કે પાકિસ્તાને બાલાકોટમાં ફરીથી આતંકી કેમ્પ સક્રિય કરી દીધા છે.
આર્મી ચીફે કહ્યું કે કોરોના મહામારીને લઇને અન્ય દેશોની મદદ કરી રહ્યું છે. અમે બાકી દેશોમાં મેડિકલ ટીમ અને દવાઓ મોકલી રહ્યા છે પરંતુ પાકિસ્તાન આતંકની નિકાસ કરી રહ્યું છે. જનરલ મનોજ મુકુંદ નરવણે આ વાત એલઓસી પાસેના પોતાના બે દિવસીય પ્રવાસ બાદ કહી. તેઓએ કહ્યું કે પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે.
તેઓએ કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે દુનિયા કોરોના વાયરસ મહામારીથી લડવા માટે એકજુટ થઇ ગઇ, તો આપના પડોશીએ ફાયરિંગનો સહારો લીધો છે. દુનિયાનું ધ્યાન આકર્ષિત કરવા તેણે 8 વર્ષના એક નિર્દોષ કાશ્મીરી છોકરાની હત્યા કરી છે.