ભારતમાં કોરોના વાયરસ બેકાબુ જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોનો રેકોર્ડ રોજ તુટી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરાયેલાં તાજા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના સૌથી વધારે 57,118 નવા કેસો સામે આવ્યાં છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો 17 લાખની નજીક પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં સંક્રમિતોની સંખ્યા 16,95,988 થઇ ગઇ છે. આ દરમિયાન 764 લોકોના મૃત્યું થયા છે. આ સાથે કૃલ મૃત્યાંક 36,511 થઇ ગયો છે. જ્યારે 10,94,374 લોકો આ વાયરસમાંથી સાજા થઇ ગયા છે. જ્યારે રિકવરી રેટની વાત કરીએ તો તેમાં વધારો જોવા મળ્યો છે. આ સાથે રીકવરી રેટ 64.52 ટકા થઇ ગયો છે. જ્યારે પોઝિટિવિટી રેટ પણ 10.86 ટકા થઇ ગયો છે.
જુલાઇ મહીનામાં કોરોનાના કેસ ઝડપથી વધતા જોવા મળ્યાં છે. 1 જુલાઇથી 31 જુલાઇ સુધીમાં કુલ સંક્રમિતોના 64 ટકા મામલા સામેલ છે, જેમાં 54 ટકા મૃત્યું આ સમયગાળા દરમિયાન થઇ છે. એકલા જુલાઇમાં 10,80,232 કેસ સામે આવ્યાં છે જે કુલ કેસોમાં 63.69 ટકા છે, જ્યારે આ મહીનામાં 19,618 લોકોના મૃત્યું થયા છે, જે કુલ મૃત્યાંકના ટકા છે.
સમયની સાથે ભારતમાં ટેસ્ટની સંખ્યા ઝડપથી વધી રહી છે. ICMRના જણાવ્યાં અનુસાર 31 જુલાઇના રોજ દેશમાં 5,25,689 નવા ટેસ્ટ કરવામાં આવ્યાં જે અત્યાર સુધીમાં 1,93,58,659 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં છે.