દેશમાં કોરોના શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. દેશમાં કોરોના સંક્રમણના કેસ વધતા જઈ રહ્યા છે અને સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આ કારણે દેશનો ડેથ રેટ પણ વધ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળતી માહિતી અનુસાર દેશમાં 24 કલાકમાં 14821 નવા કેસ આવ્યા છે અને 445 દર્દીના મોત થયા છે. દેશમાં કોરોનાનો કુલ આંક 4 લાખ 25 હજાર 282 પહોંચ્યો છે.
દેશમાં ફેલાઈ રહ્યો છે કોરોના
24 કલાકમાં 14821 નવા કેસ, 445 દર્દીના મોત
કોરોનાનો કુલ આંક 4 લાખ 25 હજાર 282 પહોંચ્યો
સ્વાસ્થ્ય મંત્રાલયની ખાસ અપડેટના આધારે દેશમાં હવે કોરોનાના 1 લાખ 74 હજાર 387 કેસ આવ્યા છે. કોરોનાથી અત્યારસુધીમાં 13 હજાર 699 લોકોના જીવ ગયા છે. જ્યારે 2 લાખ 37 હજાર 195 લોકો રિકવર થયા છે.
भारत में पिछले 24 घंटों में 14,821 नए #COVID19 मामले सामने आए हैं और 445 मौतें हुई हैं। पॉजिटिव मामलों की कुल संख्या बढ़कर 4,25,282 हुई हैं, जिसमें 1,74,387 सक्रिय मामले, 2,37,196 ठीक /डिस्चार्ज/माइग्रेट और 13699 मौतें शामिल हैं: स्वास्थ्य मंत्रालय pic.twitter.com/4fDlPvj6yx
આ મહિનાની શરૂઆતમાં ભારતમાં કોરોના વાયરસથી ડેથ રેટ 4 હતો. જેમ જેમ મહિનો આગળ વધતો ગયો ડેથ રેટમાં પણ વધારો જોવા મળ્યોય આજની તારીખમાં દેશમાં ડેથ રેટ 10 છે. એટલે કે 20 દિવસમાં તે અઢી ગણો વધ્યો છે. મોતના આંકડા વધવા તે પણ ચિંતાનો વિષય છે.
મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાતમાં આવી છે સ્થિતિ
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત એવા મહારાષ્ટ્રમાં રવિવારે સંક્રમણના 3870 કેસ સામે આવ્યા છે અને આ સમયે 186 લોકોના મોત થયા છે. આ પછી રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 1, 32, 075 થઈ છે. 24 કલાકમાં દિલ્હીમાં સંક્રમિતનો આંક 59,746ને પાર પહોંચ્યો છે. સંક્રમિતોના કેસમાં દિલ્હી બીજા નંબરે છે. જ્યારે 59377 સંક્રમિતોની સાથે તમિલનાડુ ત્રીજા નંબરે છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ આવ્યા છે. અહીં સંક્રમિતોની કુલ સંખ્યા 27 હજારને પાર પહોંચી છે.
દિલ્હીમાં કોરોના સંક્રમણ વધ્યું
દિલ્હીમાં કોરોના સંક્રમણના 3000 નવા કેસ સામે આવ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 59746ને પાર પહોંચી છે. દેશની રાજધાની દિલ્હીમાં જ 2175 લોકોએ પોતાનો જીવ ખોવ્યો છે.
યૂપીમાં આવો છે માહોલ
અગાઉ ગ્રીન ઝોનમાં આવેલા હૉટસ્પોટ માઘોપુર સ્ટેશન સિગરા ફરી રેડ ઝોનમાં આવ્યું છે. જિલ્લામાં કુલ 174 હૉટસ્પોટમાં 99 ગ્રીન ઝોનમાં છે. 18 ઓરેન્જ ઝોનમાં છે. 57 હૉટસ્પોટ રેડ ઝોનમાં છે.