કોરોના વાયરસ( coronavirus )ના પગલે દુનિયાભરનો વેપાર રોજગાર ઠપ્પ થઈ ગયો છે ત્યારે કોરોનાએ ખેડૂતોની પણ કમર તોડી છે. જેમાં લાખો ટન અનાજની નિકાસ અટકી પડતા ખેડૂતોનું આખુ વર્ષ બરબાદ થવાની અણી ઉપર છે.
ભારત દુનિયાનો સૌથી મોટો રાઈસ એક્સપોર્ટ કરતો દેશ
75થી 80 લાખ ટન નોન બાસમતી રાઈસ એકલુ સાઉદી ઓહિયા કરી જાય છે
દર મહિને 6થી 6.5 લાખ ટન ચોખા દેશમાંથી નિકાસ થાય છે
ભારત જ નહિં દુનિયાના તમામ દેશોમાં કોઈને કોઈ રીતે કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. ક્યાંક બિમારી રૂપે તો ક્યાંક વેપાર પર દેખા દઈ રહ્યો છે. આપણા દેશમાં ચોખાની નિકાસ પર કોરોના વાયરસની મોટી અસર પડી છે. દેશમાંથી નિકાસ થતા 10 લાખ ટન ચોખા પર જોવા મળશે. બાસમતી ચોખાની વાત કરીએ તો, સૌથી વધુ ઈરાનને મોકલવામાં આવે છે. ત્યારે આના ટોચના 6માંથી 5 ખરીદાર સાઉદીના દેશો છે.
ભારત દુનિયાનો સૌથી મોટો રાઈસ એક્સપોર્ટ કરતો દેશ
25 ટકા ગ્લોબલ શેર સાથે ભારત દુનિયાનો સૌથી મોટો રાઈસ એક્સપોર્ટ કરતો દેશ છે. વિશેષજ્ઞ અનુસાર, એક્સપોર્ટ થંભી જવાથી દેશમાં અનાજના ભંડાર પર અસર પડશે. કેમ કે, ભારત દર મહિને 10 લાખ ટન નિકાસ કરે છે. આની સીધી અસર ખેડૂતોની આવક પર પડશે.
ઈરાન પણ મોટુ ગ્રાહક
ઈરાનને વર્ષ 2018-19માં 14.5 લાખ ટન બાસમતી રાઈસ એક્સપોર્ટ થયા હતા. જો કે, માર્ચમાં કોરોનાને કારણે ઈરાન જતા ચોખા પર એટલી અસર નથી જોવા મળી. જે રીતે ઈરાનમાં કોરોનાની અસર વધતી જાય છે તે જોતા લાગે છે કે એપ્રિલમાં મુશ્કેલીઓ વધી શકે છે.
75થી 80 લાખ ટન નોન બાસમતી રાઈસ એકલુ સાઉદી ઓહિયા કરી જાય છે
સાઉદી અરબમાં પણ ઘણા કેસ સામે આવ્યા બાદ ત્યાંથી કારોબાર અંગે ક્યારેય પણ એડવાઈઝરી જારી થઈ શકે છે. અહિં દર મહિને લગભગ 70થી 75 હજાર ટન બાસમતી રાઈસ મોકલવામાં આવે છે. ખાડી દેશોમાં સૌથી વધુ બાસમતી રાઈસ એક્સપોર્ટ થાય છે. પણ અન્ય દેશોમાં 75થી 80 લાખ ટન નોન બાસમતી રાઈસ પણ મોકલાય છે.
દર મહિને 6થી 6.5 લાખ ટન ચોખા દેશમાંથી નિકાસ થાય છે
દર મહિને 6થી 6.5 લાખ ટન ચોખા દેશમાંથી જાય છે. બન્ને પ્રકારના ચોખા મળીને આ નંબર લગભગ 10 લાખ ટને પહોંચે છે. માર્ચથી તો અસર વર્તાવા લાગી છે, પણ સૌથી વધુ મુશ્કેલી એપ્રિલમાં આવવાની છે. જો જલ્દી કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવામાં નહિં આવે તો દુનિયાભરમાં ઘણાં પ્રકારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.