કોરોના વાયરસનો કહેર ભારતમાં સતત ફેલાઈ રહ્યો છે. દેશમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત સ્વીકારવામાં આવી રહી છે. આ સમયે એક સ્ટડીમાં દાવો કરાયો છે કે ભારતમાં અત્યારસુધીમાં 38 કરોડ લોકો વાયરસથી પ્રભાવિત થઈ ચૂક્યા છે અને હવે દેશ હર્ડ ઈમ્યુનિટી સ્ટેજમાં પહોંચી ચૂક્યો છે.
દેશમાં ફેલાયું કમ્યુનિટી ટ્રાન્સમિશન
38 કરોડ લોકો કોરોના વાયરસ સંક્રમિત
દેશ હવે હર્ડ ઈમ્યુનિટી સ્ટેજમાં પહોંચ્યોઃ દાવો
ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચે ભારતમાં કોરોના વાયરસને લઈને એક સ્ટડી પબ્લિશ કર્યો છે. તેમાં SAIR મોડલના આધારે અધ્યયન કરાયું છે. તેમાં કહેવાયું છે કે જો આ મોડલની વાત માનીએ તો ભારતમાં 38 કરોડ લોકો હર્ડ ઈમ્યુનિટીના સ્ટેજમાં પહોંચી ચૂક્યા છે. પરંતુ હજુ પણ સ્વ સુરક્ષા જરૂરી છે. આ સ્ટડીને મનિંદ્રા અગ્રવાલ, માધુરી કનિતકર, એમ વિદ્યાસાગરે તૈયાર કર્યો છે.
લોકડાઉનના કારણે સંક્રમણ ઘટ્યું
સ્ટડીના આધારે ભારતમાં નક્કી સમય પર કરાયેલા લોકડાઉનના કારણે કોરોનાની ગતિ ઘટી છે. માર્ચમાં લોકડાઉન ન કરાયું હોત તો જૂનમાં કોરોના પીક પર હોત. આવી સ્થિતિમાં 1.4 કરોડ કેસ અને 26 લાખ મોત થઈ શકતા હતા.
ભારતમાં જનસંખ્યાના આધારે ઓછું ટેસ્ટિંગ
Susceptible-asymptomatic-infected-recovered (SAIR) મોડલના આધારે ભારતમાં મોટી જનસંખ્યાના આધારે ઘણું ઓછું ટેસ્ટિંગ થયું છે. એવામાં અનેક લોકો એવા છે જે લક્ષણો વિના જ કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને તેમને ખ્યાલ પણ આવ્યો નથી.
ભારતમાં આ સમયે પીક પર હતો કોરોના
મળતી માહિતી અનુસાર ભારતમાં 17 સપ્ટેમ્બરે કોરોના પીક પર હતો. દિલ્હીની વાત કરીએ તો અહીં એક વેવ એક અઠવાડિયા પહેલા આવી હતી. પહેલી વેવ 20 ટકા વધારે હતી જ્યારે બીજા વેવથી વધુ હતી. દિલ્હીના સીરો સર્વેના આધારે 24 ટકા લોકો કોરોના સંક્રમિત થયા છે. સ્ટડીમાં કહેવાયું છે કે જો લોકડાઉન લાગૂ ન થયું હોત તો 2 મિલિયનથી વધારે મોતની શક્યતા હતી. એક એપ્રિલથી એક મેની વચ્ચે લોકડાઉને લગભગ 5થી 10 લાખ મોત ઘટાડ્યા છે. દેશમાં હજુ પણ કોરોનાને લઈને ચિંતા કાયમ છે. કોરોના મહામારીનો કોઈ ચોક્કસ ડેટા નથી કે જેનાથી વધુ કોઈ રિસર્ચ કરી શકાય.