ICMR દ્વારા કરાયેલા નવા સીરો સર્વેમા જાણવા મળ્યું છે કે 6 વર્ષથી વધારેની ઉંમરના 2/3 લોકોમાં કોરોનાના સાર્સ સીઓવી2 એન્ટીબોડી છે તો અન્ય લગભગ 40 કરોડ લોકોમાં સંક્રમણનો ખતરો છે.
ICMRના નવા સીરો સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામ
દેશના લગભગ 40 કરોડ લોકોમાં સંક્રમણનો ખતરો
6 વર્ષથી વધુ ઉંમરના 2/3 લોકોમાં મળ્યા સાર્સ સીઓવી2 એન્ટીબોડી
રાષ્ટ્રીય સ્તરે આવેલા નવા પરિણામ બાદ અલગ અલગ રાજ્યોએ સીરો સર્વેના પરિણામો રજૂ કર્યા છે. આ પછી ફરીથી ઈમ્યુનિટીના મુદ્દાને સામે લાવીને રજૂ કરાય છે કેમકે બિહાર, ઓરિસ્સા જેવા રાજ્યોએ દાવો કર્યો કે તેમના સીરો સર્વેના પરિણામ કહે છે કે તેઓએ લગભગ હર્ડ ઈમ્યુનિટી મેળવી લીધી છે.
શું છે હર્ડ ઈમ્યુનિટી
જો કોઈ બીમારી આબાદીના મોટા ભાગમાં ફેલાય છે તો વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતા તે બીમારીના સંક્રમણને વધવાથી રોકવામાં મદદ કરી શકે છે. એવામાં જે લોકો બીમારીથી લડીને સાજા થાય છે તેમાં વિશેષ બીમારીના વિરોધમાં પ્રતિરોધક ગુણ વિકાસ પામે છે. તેના શરીરમાં વાયરસની સામે લડવા માટેની સક્ષમ એન્ટીબોડીઝ તૈયાર થાય છે. આ સામૂહિક પ્રતિરક્ષા ત્યારે મળે છે જ્યારે કોઈ આબાદીમાં પૂરતી પ્રતિરક્ષા વાળા લોકો હોય છે અને વ્યક્તિથી વ્યક્તિમાં સંક્રમણને રોકી શકાય છે.
ભારતીય જનસંખ્યા અને સામૂહિક પ્રતિરક્ષા
રિપોર્ટમાં કહેવાયું છે કે સીરો સર્વે દેશની આબાદીની સમગ્ર સ્થિતિ છે જે રાજ્યવાર ઈમ્યુનિટીને દેખાડતી નથી પણ ડેટા કહે છે કે ભારતમાં 67.6 ટકા લોકોમાં કોરોનાના વિરોધમાં ઈમ્યુનિટી છે. કેટલાક રાજ્યોમાં આ ટકાવારી વધારે હોઈ શકે છે. કેટલાક રાજ્યોમાં આ ઓછી હોઈ શકે છે. બિહાર અને ઓરિસ્સામાં 70 ટકા વસ્તીમાં પ્રતિરોધક ક્ષમતા છે તો કેરળમાં 50 ટકા વસ્તીમાં એન્ટીબોડી જોવા મળી છે.
મળતી માહિતી અનુસાર એમ્સના ડોક્ટરના અનુસાર શક્ય છે કે દિલ્હીએ કોરોના મહામારીની બીજી લહેરની સીમાને ડોતા હર્ડ ઈમ્યુનિટી મેળવી હોય. નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું કે ભારતે હર્ડ ઈમ્યુનિટી મેળવી નથી. ન તો પ્રાકૃતિક સંક્રમણના રીતે અને ન તો વેક્સીનની રીતે. નિષ્ણાતો કહે છે કે અલગ અલગ રાજ્યોમાં કોરોનાના અલગ અલગ રૂપ જોવા મળે છે જેથી હર્ડ ઈમ્યુનિટી પણ અલગ અલગ હોઈ શકે છે.