કોરોનાના કહેર વચ્ચે ભારતની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો પડી રહ્યો છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્શ આ અંગેની ગંભીર ચેતાવણી આપી છે કે કોરોનાના કહેર અને લોકડાઉનનાકારણે આ નાણાંકીયવર્ષ એટલે કે 2020-21માં દેશનો જીડીપી ગ્રોથ માત્ર 1.6 ટકા રહેશે.
કેટલાંક દાયકા પાછળ થઇ જશે ગ્રોથ રેટ
એનો મતલબ એ છે કે આર્થિક વિકાસને લઇને દેશ કેટલાક દાયકા પાછળ જતો રહેશે. ગોલ્ડમેન સેકશે તેઓના પહેલા અનુમાનમાં ભારે ઘટાડો કર્યો છે. આ અગાઉ રેટિંગ એજન્સીએ અનુમાન લગાવ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થામાં આ નાણાંકીય વર્ષમાં 3.3 ટકાનો વધારો થશે. કંપનીના અનુસાર 2020માં અમેરિકામાં 6.2 ટકાનો વધારો થશે એટલે કે ત્યાં એટલો જ ઘટાડો જોવા મળશે.
છેલ્લા 6 દાયકાની મંદી કરતાં પણ નબળો વિકાસ
બ્રોકરેજ ફર્મ દ્વારા જણાવામાં આવ્યું કે આ ઝડપ 70, 80 અને 2009ના દાયકામાં જોવા મળેલી મંદીના સમય કરતાં પણ નબળો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં 25 માર્ચથી સંપૂર્ણ લોકડાઉન છે અને તેના કારણે વેપાર-ધંધા ઠપ થઇ ગયા છે.
ક્યારે જોવા મળશે સુધાર
જો કે રેટિંગ એજન્સીએ જણાવ્યું કે આ નાણાંકીય વર્ષના બીજા છમાસિક અર્થવ્યવસ્થામાં ઘણો સારો સુધાર જોવા મળી શકે છે. ગોલ્ડમેન સેકશે પોતોના રિપોર્ટમાં કહ્યું છે કે અમને આશા છે કે આરબીઆઇએ પોતાના ધિરાણ નીતીમાં નરમાશ જારી રાખ્યું છે અને સિસ્ટમમાં રોકડા નાણાની મદદ માટે પણ વિચારણા કરતું રહેશે.
ઘણી બધી એજન્સીઓને ઘટાડયું અનુમાન
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઘણી રેટિંગ એજન્સી કોરનાના કહેરને ધ્યાનમાં રાખી ભારતના જીડીપી ગ્રોથનું અનુમાનમાં ભારે ઘટાડો કરી ચૂકી છે. કોરોના વાયરસના પ્રકોપના કારણે ઇકોનોમીને સતત નુકસાન થઇ રહ્યું છે. એવામાં રેટિંગ એજન્સીઓ દુનિયા સહિત ભારતના જીડીપી ગ્રોથનું અનુમાનને ઘટાડી રહી છે. થોડા સમય પહેલા જ મૂડીઝે ભારતના જીડીપીનું અનુમાન 2020 માટે 5.3 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરી દીધું છે.