દેશમાં કોરોના વાયરસના વધતાં સંક્રમણના કારણે કેન્દ્ર સરકારે ફરીવાર મોટો નિર્ણય લીધો છે. કોરોના વાયરસની ત્રીજી લહેરને જોતાં કોમર્શીયલ પેસેન્જર ફ્લાઇટ્સ પર રોકને લંબાવવામાં આવી છે.
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
28 ફેબ્રુઆરી સુધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ
કોરોના વાયરસના કારણે લેવામાં આવ્યો નિર્ણય
દેશમાં કોરોના વાયરસના વધતાં સંક્રમણના કારણે કેન્દ્ર સરકારે ફરીવાર મોટો નિર્ણય લીધો છે. કોરોના વાયરસની ત્રીજી લહેરને જોતાં કોમર્શીયલ પેસેન્જર ફ્લાઇટ્સ પર રોકને લંબાવવામાં આવી છે.
"The authority has decided to extend the suspension of Scheduled International commercial passenger services to/from India till 2359 hrs IST of 28th February 2022," reads an official letter of Civil Aviation pic.twitter.com/QctWuxtmvs
કેન્દ્રએ લીધો મોટો નિર્ણય
કોરોના વાયરસના કારણે આખું વિશ્વ ત્રાહિમામ કરી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે કોમર્શિયલ પેસેન્જર સર્વિસને 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવી દીધી છે. DGCA દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ અનુસાર આ પ્રતિબંધોની અસર કાર્ગો વિમાન પર નહીં પડે તથા DGCAની મંજૂરી સાથે ઉડતા વિમાનો પર પણ તેની અસર પડશે નહીં.
મહિનાઓથી પ્રતિબંધિત છે ફ્લાઇટ્સ
નોંધનીય છે કે આ પહેલા આ પ્રતિબંધ 31મી જાન્યુઆરી સુધી જ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભારત આવતી જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને કોરોના વાયરસના કારણે 23 માર્ચ 2020થી બંધ કરવામાં આવી છે જે બાદ જુલાઇ મહિનામાં અમુક દેશો એર બબલની વ્યવસ્થા કરીને ફ્લાઇટ્સથી લોકોની અવર જવર શરૂ કરવામાં આવી છે.
હજારો કરોડનું થશે નુકસાન
કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે એરક્રાફ્ટ ફ્યુઅલ (ATF)ના ભાવમાં વધારો થવાથી ચાલુ નાણાકીય વર્ષમાં એરલાઇન કંપનીઓની ખોટ વધીને 20,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ક્રિસિલના અહેવાલ મુજબ, એરલાઇન્સ ચાલુ નાણાકીય વર્ષમાં તેમની અત્યાર સુધીની સૌથી મોટી 20,000 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ તરફ આગળ વધી રહી છે. આ નુકસાન ગયા નાણાકીય વર્ષમાં રૂ. 13,853 કરોડના નુકસાન કરતાં 44 ટકા વધુ હશે.