દેશમાં કોરોના વાયરસના નવા કેસ આવવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22771 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ દેશમાં કુલ કેસની સંખ્યા 6,48,315 થઈ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આધારે શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2,35,433 છે અને મૃતકોની સંખ્યા 18655 થઈ છે. સંક્રમણથી સાજા થયેલા દર્દીની સંખ્યા 3,94, 226 પહોંચી છે. શુક્રવારે સવારે 8 વાગ્યાથી શનિવાર સવારે 8 વાગ્યા સુધીમાં 442 લોકોના મોત થયા છે અને 14335 લોકો ડિસ્ચાર્જ કરાયા છે.
દેશમાં ઝડપથી વકરી રહ્યો છે કોરોના
દેશમાં કુલ સંક્રમણનો આંક 6,48,315 પહોંચ્યો
24 કલાકમાં 22771 નવા કેસ અને 442 લોકોના મોત
દેશમાં અત્યારસુધીમાં કરાયેલા ટેસ્ટમાં 95.40 લાખથી વધારે સેમ્પલ લેવાયા છે. ફક્ત 3 જુલાઈએ જ દેશમાં 242383 સેમ્પલ ટેસ્ટ કરાયા છે.
કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને 6364 નવા કેસ સામે આવ્યા છે. જે એક દિવસમાં સૌથી વધુ છે. સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1 લાખ 92 હજાર 990 પહોંચી છે. પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગે તેની જાણકારી આપી છે. વિભાગે કહ્યું કે દેશમાં મહામારીથી 198 લોકોના મોત થયા છે. તેનાથી મૃત્યુ પામનારાની સંખ્યા વધીને 8376 થઈ છે.
भारत में पिछले 24 घंटों में 442 मौतें और 22,771 नए #COVID19 मामले रिपोर्ट किए गए। 235433 सक्रिय मामलों, 394227 ठीक / डिस्चार्ज / विस्थापित, 18655 मौतों सहित पॉजिटिव मामलों की कुल संख्या 648315 हुई: स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय pic.twitter.com/u8tCV765Jz
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં 1 દિવસમાં સૌથી વધુ 6330 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે શુક્રવારે 3515 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને રાજ્યમાં 1 લાખ 4 હજાર 687 થઈ છે. તેમાં કહેવાયું છે કે પ્રદેશમાં અત્યારસુધીમાં 10 લાખ 49 હજાર 277 સેમ્પલના ટેસ્ટ થયા છે.
રાજ્યમાં શુક્રવારે લગભગ 2520 કેસ સામે આવ્યા છે. સાથે દિલ્હીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 94600થી વધી છે. દુનિયામાં ભારત સિવાય 20 દેશ છે જ્યાં કોરોનાના કેસ વધારે છે. કતરમાં 98 000થી વધારે કેસ છે. દિલ્હીની ગતિ જોઈને લાગે છે કે તે જલ્દી જ કતરને પણ પાછળ છોડી દેશે.