દેશમાં કોરોના કેસની સંખ્યા 1 લાખ 78 હજાર 14 એક્ટિવ કેસ છે. કોરોનાથી દેશભરમાં અત્યારસુધીમાં 14011 લોકોના જીવ ગયા છે. જ્યારે 2 લાખ 48 હજાર 189 લોકો કોરોના વાયરસથી સંક્રમણથી રિકવર થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 14933 કેસ આવ્યા છે અને 321 મોત થયા છે. સોમવારે સૌથી વધુ નવા કેસ મહારાષ્ટ્રમાં આવ્યા છે. અહીં નવા કેસની સંખ્યા 3721 થઈ છે અને મોતની સંખ્યા 113 થઈ છે. દેશમાં કુલ કેસનો આંક 4.40 લાખને પાર થયો છે.
દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4.40 લાખ પહોંચ્યા
દેશમાં 1 લાખ 78 હજાર 14 એક્ટિવ કેસ
24 કલાકમાં 14933 કેસ આવ્યા છે અને 321 મોત
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 4 લાખ 40 હજાર 215 થઈ છે. 24 કલાકમાં કોરોનાના 14933 નવા કેસ આવ્યા છે અને 312 દર્દીના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે સોમવારે સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં આવ્યા છે. અહીં 3721 નવા કેસની સાથે 113 લોકોના મોત થયા છે. દિલ્હીમાં 24 કલાકમામં 2909 દર્દી મળ્યા છે અને અહીં સૌથી વધારે દર્દીઓ 3589 અહીં સાજા થયા છે.
भारत में पिछले 24घंटों में #COVID19 के 14,933 मामले सामने आए हैं और 312 मौतें हुई हैं। देश में अब कोरोना पॉजिटिव मामलों की कुल संख्या 4,40,215 हैं जिसमें 1,78,014 सक्रिय मामले, 2,48,190 ठीक/ डिस्चार्ज/विस्थापित मामले और 14,011 मौतें शामिल हैं: स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय pic.twitter.com/jvECvwoQL1
દેશમાં 1 દિવસમાં 1,87,223 લોકોના ટેસ્ટ થયા
સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં 1 લાખ 78 હજાર 14 એક્ટિવ કેસ છે. કોરોનાથી દેશભરમાં અત્યાર સુધીમાં 14011 લોકોના જીવ ગયા છે. જ્યારે 2 લાખ 48 હજાર 189 લોકો રિકવર થયા છે. મંત્રાલય અનુસાર 1 દિવસમાં 1,87,223 લોકોના ટેસ્ટ થયા છે. ઈન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલના આધારે 20 જૂન સુધી દેશમાં કુલ 68,07,226 સેમ્પલ ટેસ્ટ થયા છે. અહીં પોઝિટિવીટી રેટ 8.08 ટકા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે એક્ટિવ કેસ
સૌથી વધારે કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં 61 હજારથી વધુ સંક્રમિતો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ પછી અન્ય નંબરે દિલ્હી, ત્રીજા નંબરે તમિલનાડુ, ચૌથા નંબરે ગુજરાત અને પાંચમા નંબરે પશ્ચિમ બંગાળ છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 35 હજાર 796 થઈ છે. તેમાંથી 61 હજાર 793 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યારસુધી 6283 એ જીવ ખોવ્યા છે.
દિલ્હીમાં એક દિવસમાં 58 દર્દીઓએ ખોવ્યો જીવ
સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર 24 કલાકમાં આ મહામારીની ઝપેટમાં આવેલા 58 લોકોના મોત થયા છે. કોરોનાથી મરનારાની સંખ્યા 2233 છે. એક દિવસમાં 3589 લોકો સારવાર બાદ સાજા થયા છે. તેમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે. સંક્રમિતોની સંખ્યામાં 36 હજાર 602 લોકો કોરોનાની જંગ જીત્યા છે. દિલ્હીમાં 23 હજાર 820 એક્ટિવ કેસ છે.
24 કલાકમાં આ રાજ્યોમાં થયા મોત
સોમવારે મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને ગોવાના સિવાય ઉત્તરપ્રદેશમાં 19, પશ્ચિમ બંગાળમાં 14, હરિયાણામાં 9, તેલંગાણા અને રાજસ્થાનમાં 7, મધ્યપ્રદેશમાં 6, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 5-5, જમ્મૂ કાશ્મીરમાં 3, ઓરિસ્સા અને પંજાબમાં 2-2, છત્તીસગઢ, ઉત્તરાખંડ, બિહારમાં 1-1 મોત થયા છે.
55.48 ટકા છે રિકવરી રેટ
દુનિયાની સૌથી મોટી આબાદીનો દેશ હોવા છતાં અન્ય મુલ્કની સરખામણીએ ભારતમાં કોરોનાની ગતિ ધીમી છે. અમેરિકામાં સૌથી વધુ 79 દિવસમાં 4 લાખથી વધુ લોકો કોરોના પોઝિટિવ થયા છે. ભારતમાં 143 દિવસથી એટલા દર્દી સામે આવ્યા છે. રિકવરી રેટમાં સુધારો આવી રહ્યો છે. હાલમાં 55.48 ટકાનો રેટ છે.