વડોદરામાં SSG કોવિડ કેરમાં હ્દયને ઝણઝણવી મૂકે તેવા દ્રશ્યો સર્જાયા હતા.
વડોદરાના SSG કોવિડ કેરમાં સર્જાયા વરવા દ્રશ્યો
SSG હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે
કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકના મૃતદેહને કલાક સુધી રખાયો
વડોદરાના SSG કોવિડ કેરમાં વરવા દ્રશ્યો સર્જાયા છે. વડોદરાની SSG હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. SSG હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકના મૃતદેહને કલાકો સુધી ખુલ્લામાં રાખવામાં આવ્યો. કોરોના મૃતકને સામાન્ય લોકોની અવર-જવર વચ્ચે જ રખાતા સવાલો ઉઠ્યા છે. કોરાના ગાઇડલાઇન અને મૃત્યુ બાદના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. SSG હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વારમાં જ મૃતદેહ ખુલ્લામાં મૂકી રાખતા લોકોને સંક્રમણનું જોખમ વધ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2815 કેસ નોંધાયા છે અને 2063 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,96,713 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 13 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
અત્યાર સુધીમાં 4552 લોકોના થયાં મોત
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4552 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાની રફતાર વધી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 646 કેસ અને ગ્રામ્યમાં 13 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 526 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 161 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 303 કેસ, જ્યારે ગ્રામ્યમાં 81 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 236 કેસ અને ગ્રામ્યમાં 41 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
કેટલા લોકોને અપાઇ વેક્સિન ?
ગુજરાતમાં અત્યાર સુધીમાં 62,30,249 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 7,64,347 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 69,94,596 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગૃહરાજ્યમંત્રીએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આપી હતી.
ગુજરાતમાં શાળાઓને બંધ કરવાના આદેશ
ગુજરાતમાં શાળાઓને બંધ કરવાના આદેશ કરાઈ ચૂક્યા છે. કોરોનાના વધતા કેસના કારણે ધો.1થી 9 સુધીના શાળાઓ બંધ કરવાનો આદેશ કોર કમિટી દ્વારા કરાયો છે. ગુજરાતમાં બાળકોમાં કોરોના કેસ જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને કરાયો છે. રાજ્યમાં ધોરણ 1થી 9ની તમામ શાળાઓ બંધ કરાશે.
સોમવાર 5મી એપ્રિલથી શાળાકાર્ય બંધ રાખવામાં આવશે. અને અન્ય સૂચનાઓ કે, આદેશ ન થાય ત્યાં સુધી શિક્ષણકાર્ય બંધ રાખવામાં આવશે. રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લાવવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે.