ગુજરાતમાં કોરનાથી મોતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે સ્મશાનો હાઉસ ફૂલ થઈ ગયા છે અને મૃતકોના અસ્થિઓથી પણ સ્મશાનો ફૂલ થઈ ગયા છે.
વિસર્જનની રાહ જોતા અસ્થિ
વડોદરાના ખાસવાડી સ્મશાનમાં અનેક અસ્થિ
આજે હિંદુ વિધી મુજબ ચાંદોદમાં વિસર્જન
કોરોનાગ્રસ્ત દર્દીઓના અસ્થિ વિસર્જન પણ નથી થતા. વડોદરાના ખાસવાડી સ્મશાનમાં અનેક અસ્થિ એકઠા થયા છે. કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિજનો અસ્થિ વિસર્જન ચૂક્યા છે. ત્યારે અસ્થિઓનું આજે હિંદુ વિધી મુજબ ચાંદોદમાં વિસર્જન થશે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ પણ હાજર રહેશે.
કેમ ચૂકાઈ પરંપરા
કોરોનાથી મોત થયું હોય તેવા મૃતકોના પરિજનો પણ કોરોનાગ્રસ્ત છે અથવા તો ઘરના મોભીનું જ મોત થયું હોય તો નાના બાળકો કે મહિલાઓને એવો ધ્રાસકો લાગ્યો હોય કે તે અસ્થિ વિસર્જન ચુકી ગયા હોય પણ એવુ પણ બન્યુ છે કે મહામારીના ડરથી ઘણા લોકો અસ્થિ લેવા આવતા જ નથી. ત્યારે હવે આજે આ પુણ્ય કાર્ય થશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,340 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 110 લોકોના મોત નિપજ્યા છે. અને 3,981 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,37,545 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 110 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 110 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5377 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 329 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 61,647 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3641 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 53 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1929 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 496 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 325 કેસ, જ્યારે ગ્રામ્યમાં 184 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 683 કેસ અને ગ્રામ્યમાં 128 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...