વડોદરામાં કોરોનાથી મૃત્યુ થનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે. એક જ દિવસમાં 10 લોકોના મૃત્યુ થયા છે. શહેરના વિવિધ વિસ્તારમાં 10 દર્દીઓના મૃત્યુ થયા છે.
વડોદરામાં કોરોનાથી એક જ દિવસમાં 10 લોકોના મૃત્યુ
વિવિધ વિસ્તારમાં 10 દર્દીઓના થયા મૃત્યુ
આણંદના ડૉક્ટરનું પણ કોરોનાથી થયુ નિધન
આણંદના ડૉક્ટર, જંબુસર અને નાગરવાડાના વેપારીનું કોરોનાથી અવસાન થયુ છે. એમ.જે.પરીખ સ્કૂલના નિવૃત ક્લાર્કનું પણ કોરોનાથી નિધન થયુ. કોર્પોરેશન દ્વારા ડેથ ઓડિટના નામે સંખ્યા અને નામ જાહેર કરવામાં આવતા નથી. મહત્વનુ છે કે, વડોદરામાં હાલમાં 619 એક્ટિવ કેસ છે. જ્યારે 54 લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી માત્ર એક જ દિવસમાં 10 લોકોના મૃત્યુ થયા.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં એક દિવસમાં વધુ 681 કેસ નોંધાયા છે. જ્યારે 19 લોકોનાં મૃત્યુ થયા છે. તો બીજી તરફ 563 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ છે.
સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે..અમદાવાદમાં એક દિવસમાં 202 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 191 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં 22, બનાસકાંઠામાં અને સુરેન્દ્રનગરમાં 12-12 ભાવનગર, વડોદરામાં 11-11, જામનગર, ભરૂચ અને પાટણમાં 10-10 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાનાં કેસોનો કુલ આંક 33,999 પર પર પહોંચી ગયો છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 1,888એ દમ તોડ્યો છે. તો કુલ 24,601 લોકો સાજા પણ થયા છે.
જિલ્લા વાર કેસની વિગતો
અમદાવાદમાં આજે કોરોનાના નવા 202 કેસ, 147 ડિસ્ચાર્જ
સુરત શહેરમાં 191 કેસ, 179 ડિસ્ચાર્જ
વડોદરા શહેરમાં 46 કેસ, 88 ડિસ્ચાર્જ
સુરત ગ્રામ્યમાં 36 કેસ, 26 ડિસ્ચાર્જ
રાજકોટ ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 22 કેસ
બનાસકાંઠામાં કોરોનાના 12 કેસ, 2 ડિસ્ચાર્જ
સુરેન્દ્રનગરમાં નવા 12 કેસ, 7 ડિસ્ચાર્જ
ભાવનગર શહેરમાં આજે કોરોનાના 11 કેસ વધ્યા
વડોદરા ગ્રામ્યમાં કોરોનાના 11 કેસ, 15 ડિસ્ચાર્જ
જામનગર શહેરમાં 10 કેસ, 2 ડિસ્ચાર્જ
ભરૂચમાં કોરોનાના 10 કેસ, 14 ડિસ્ચાર્જ
પાટણમાં આજે 10 કેસ નોંધાયા, 4 ડિસ્ચાર્જ
જુનાગઢ શહેરમાં કોરોનાના 9 કેસ , એક ડિસ્ચાર્જ
અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના 9 કેસ, 14 ડિસ્ચાર્જ
મહેસાણામાં કોરોનાના 9 કેસ, 4 ડિસ્ચાર્જ
વલસાડમાં કોરોનાના 8 કેસ, 4 ડિસ્ચાર્જ
અમરેલીમાં આજે 7 કેસ, 6 દર્દી ડિસ્ચાર્જ
ગાંધીનગર ગ્રામ્યમાં કોરોનાના 6 કેસ, 5 ડિસ્ચાર્જ
કચ્છમાં કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા
ખેડામાં કોરોનાના 5 કેસ, 4 ડિસ્ચાર્જ
રાજકોટ શહેરમાં કોરોનાના 4 વધુ કેસ નોંધાયા
અરવલ્લીમાં કોરોનાના 4 કેસ, 4 ડિસ્ચાર્જ
પંચમહાલમાં કોરોનાના 4 કેસ, 7 ડિસ્ચાર્જ
નવસારી અને જુનાગઢમાં કોરોનાના વધુ 4-4 કેસ
આણંદમાં કોરોનાના 3 નવા કેસ દાખલ થયા
સાબરકાંઠામાં આજે 3 કેસ, 3 ડિસ્ચાર્જ
ભાવનગર ગ્રામ્યમાં કોરોનાના 3 કેસ, 2 ડિસ્ચાર્જ
બોટાદમાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા
ગીર સોમનાથમાં 3 કેસ, 1 ડિસ્ચાર્જ
દાહોદમાં કોરોનાના વધુ 3 કેસ, એક ડિસ્ચાર્જ
છોટાઉદેપુરમાં કોરાનાના 3 કેસ, 2 ડિસ્ચાર્જ
મોરબીમાં આજે 3 કેસ, 4 ડિસ્ચાર્જ઼
ગાંધીનગર શહેરમાં કોરોનાનો એક કેસ, 7 ડિસ્ચાર્જ
મહીસાગર, દ્વારકા, પોરબંદરમાં એક-એક કેસ નોંધાયા
જામનગરમાં કોરોનાનો એક કેસ, એક ડિસ્ચાર્જ
તાપીમાં કોરોનાનો એક કેસ, 2 ડિસ્ચાર્જ
નર્મદા જિલ્લામાં આજે કોરોનાને માત આપીને 7 દર્દી ડિસ્ચાર્જ