સુરતમાં કોરોનાની મહામારીએ માઝા મૂકી છે ત્યારે કોવિડ હોસ્પિટલની વધુ એક બેદરાકારી સામે આવી છે. દર્દીએ વીડિયો વાયરલ કરીને પોતાને લઈ જવાનું કીધુ છે. દર્દીનું કહેવું છે કે જો તેને વધુ સમય અહીં રાખવામાં આવશે તો તેનું કોરોનાથી નહીં પણ અહીં આ રીતે રહેવાથી મોત થઈ જશે. સુરતના હાલ હાલતો બેહાલ બન્યા છે કેમ કે, કોરોનાએ માઝા મૂકી છે અને બીજી તરફ તેની સારવારમાં આવા ઝોલ સામે આવી રહ્યા છે.
સુરતની સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી
કોરોનાના વધતા કેસ વચ્ચે હોસ્પિટલો બેદરકાર
સુરતમાં દર્દીઓની ભગવાન ભરોસે સારવાર
સુરતની સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સુરતમાં દર્દીઓને ભગવાન ભરોસે છોડી દેવામાં આવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં દર્દી કહી રહ્યાં છે કે તેમની યોગ્ય સારવાર નથી થઇ રહી. સુરતની સ્મીમેર હોસ્પિટમાં સારવાર લઇ રહેલા દર્દીએ આરોપ કર્યા છે કે સ્મીમેરમાં યોગ્ય સારવાર નથી કરવામાં આવતી. નર્સ માત્ર એક જ વખત આવે છે. અને ઓક્સિજન ફૂલ કરી નર્સ જતી રહી છે.
શું કહે છે દર્દી
હું સ્મીમેર હોસ્પિટલમાં છું. અહિંયા કોઇ પ્રકારની સુવિધા મળતી નથી. આજે હું 3-4 દિવસથી સતત પડ્યો છું પરંતુ કોઇ સંભાળ પણ નથી લેતુ. માત્ર આશ્વાસનો આપીને જતા રહે છે. બને તેટલું વહેલા મને અહિંથી લઇ જાઓ નહીં તો મારું મૃત્યુ થઇ જશે.
વીડિયોમાં દર્દી હરિ વાઘમશીએ આપવીતી વર્ણવી છે. ત્યારે સવાલ ઉઠી રહ્યાં છે કે સ્મીમેર હસ્પિટલને કોરોનાના દર્દીઓની કોઇ ચિંતા નથી?. કેમ વારંવાર સ્મીમેર હોસ્પિટલ પર સવાલો ઉઠે છે?. સ્મીમેરમાં દર્દીઓને યોગ્ય સારવાર કેમ નથી મળતી?