ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે સુરતમાં પરપ્રાંતિયોને લઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઓરિસ્સાના હજારો લોકો આજે રસ્તા ઉપર ઉતરી આવતા પોલીસતંત્ર સાબદુ થયુ હતુ કારણ કે, ગઈકાલે પરપ્રાંતિયો અને સુરતવાસીઓ વચ્ચે સંઘર્ષ થયો હતો.
મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા પોલીસ સ્ટેશને
પોતાને વતન જવાની માગ સાથે રસ્તા પર
સુરતમાં સેંકડો ઓડિશાવાસીઓ ઉતર્યા રસ્તા પર
સુરતમાં ઓરિસ્સાના હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ઓરિસ્સા જવાની ટ્રેન ઓછી પડવાને કારણ કે, વતન જવાની માંગ સાથે લોકો રસ્તે આવી ગયા હતા.
ઓરિસ્સા જવાની ટ્રેન પડી રહી છે ઓછી
સુરતમાં વસતા ઓરિસ્સાના શ્રમિકો કંટાળ્યા છે. છેલ્લા 43 દિવસથી આ લોકો નોકરી-ધંધા વગરના બેસી રહ્યા છે. તેમની પાસે કોઈ કામ પણ નથી અને હવે વધુ દિવસો ટકી રહેવા માટે પણ પૈસા કે અનાજ કશું બચ્યું નથી ત્યારે શ્રમિકો વતન જવા માંગ કરી રહ્યા છે. એવામાં ઓરિસ્સા જવાની ટ્રેન ઓછી પડવાને કારણે તેઓ ઓરિસ્સા જવાની ટ્રેન વધારવાની માંગણી કરી રહ્યા હતા.
પોલીસે તમામ લોકોને સમજાવી મોકલ્યા પરત
પોલીસે રસ્તે ઉતરી આવેલા તમામ લોકોને સમજાવીને પરત મોકલ્યા હતા. પરંતુ આવા લોકડાઉનમાં પણ આ લોકો આ રીતે હજારોની સંખ્યામાં કેવી રીતે ઉમટી આવે છે તે ખુબ મોટો પ્રશ્ન છે. આ અગાઉમાં પણ સુરતમાં પરપ્રાંતિયો પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરી પડ્યા હતા.