સુરતમાં કોરોના વિસ્ફોટ થયો છે ત્યારે મનપા કમિશનરનું ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યુ છે.
નવા સ્ટ્રેન મુદ્દે કમિશનરનું નિવેદન
10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સંક્રમિત
બાળકોને ફરજિયાત માસ્ક પહેરાવો
સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેન મુદ્દે મનપા કમિશનર બંછાનિધિ પાનીનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યું છે કે હવે કોરોનાનું સંક્રમણ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ફેલાઈ રહ્યું છે
બેંગાલુરુમાં 430 બાળકો કોરોના સંક્રમિત થયા છે . બાળકોને ફરજિયાત માસ્ક પહેરવા અપીલ કરવામાં આવ્યા છે. સુરતમાં વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું છે કે, બાળકોને વગર કામે બહાર જતા રોકો. કોરોનાનો નવો સ્ટ્રેન ઘાતક પુરવાર થઈ શકે છે.
એક જ મોલમાં 17 કેસ પોઝિટિવ
સુરત મનપા દ્વારા ટેસ્ટિંગ પ્રક્રિયા તેજ કરાઇ છે. મોલમાં કામ કરતા કર્મચારીઓ કોરોના પોઝિટિવ એક સાથે સંક્રમિત થયા છે. એક જ મોલમાં 17 કેસ પોઝિટિવ મળી આવ્યા છે. સેન્ટ્રલ મોલમાં 17 લોકો કોરોના સંક્રમિત થતા મોલ બંધ કરાવ્યો છે. 240 લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું.
સુરતમાં વધુ કોરોના વોરિયર્સ થયા સંક્રમિત
સ્મીમેર હોસ્પિટલના 3 ડોક્ટર, નર્સિંગ સ્ટાફને કોરોનાની ઝપેટમાં આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલના કેન્ટીનના 2 કર્મચારી પોઝિટિવ છે. 3 ખાનગી હોસ્પિટલના ડોક્ટર પણ સંક્રમિત થયા છે. કતારગામના વિજિલન્સ ઓફિસર, 1 કર્મી પોઝિટિવ છે. 18 વિદ્યાર્થી, 5 શિક્ષક, 1 પ્રોફેસર પણ ઝપેટમાં છે. જ્યારે બેંકના 4 જેટલા કર્મચારી પણ સપડાયા છે. હીરા ઉદ્યોગ સતુંએ સંકળાયેલા 15 વ્યક્તિ પોઝિટિવ થયા છે. ટેક્સટાઇલ ઉદ્યોગના 20 કર્મચારી સંક્રમિત થયા છે.
ગુજરાતમાં કોરોનાના આંકડા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે આંકડા પ્રમાણે, રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2360 કેસ નોંધાયા છે અને 2004 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,90,569 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 9 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
અત્યાર સુધીમાં 4519 દર્દીઓના થયાં મોત
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4519 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ મૃત્યુનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે.
રેકોર્ડ બ્રેક 2360 કેસ નોંધાતા હડકંપ
આપને જણાવી દઇએ કે, છેલ્લા 5 દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. કારણ કે, દરરોજ 2000થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે રેકોર્ડ બ્રેક 2360 કેસ આવતા હડકંપ મચી જવા પામ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસની ગતિ વધી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં 611 કેસ અને ગ્રામ્યમાં 9 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ સુરત શહેરમાં 602 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 142 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 290 કેસ, જ્યારે ગ્રામ્યમાં 51 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 172 કેસ અને ગ્રામ્યમાં 36 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
કેટલા લોકોને અપાઇ વેક્સિન ?
ગુજરાતમાં અત્યાર સુધીમાં 49,45,649 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 6,65,395 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 56,11,044 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.