કોરોનાના સુરતમાં રમખાણ મચાવી રહ્યો છે. હવે નવા સ્ટ્રેનને કારણે સુરતમાં આખો પરિવાર કોરોના ગ્રસ્ત બને છે આ અંગે સુરત મનપા કમિશનરે લોકોને ચેતવ્યા છે.
સુરતમાં કોરોના કહેર વચ્ચે વધુ એક માઠા સમાચાર
કોરોનાનો નવો સ્ટ્રેઇન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે
કોરોનાના નવા સ્ટ્રેઇનમાં લક્ષણો પણ બદલાયા
સુરતમાં કોરોના કહેર વચ્ચે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છેકોરોનાના નવા સ્ટ્રેઇનમાં લક્ષણો પણ બદલાયા છે. નવા સ્ટ્રેઇનના લક્ષણ એક સભ્યમાં દેખાય એટલે પરિવાર પણ સંક્રમિત થાય છે. મનપા કમિશ્રરે નવા સ્ટ્રેઇન સામે સાવધ રહેવા લોકોને અપીલ કરી છે.
એક જ દિવસમાં 450 કેસ નોંધાયા
સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે અને સુરતમાં કોરોના કેસનો રેકોર્ડ તૂટ્યો છે. સુરતમાં એક જ દિવસમાં 450 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. અત્યાર સુધીમાં સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અઠવામાં 88, રાંદેરમાં 57 કેસ નોંધાયા છે. લિંબાયતમાં 41, ઉધનામાં 38 કેસ નોંધાયા છે. કતારગામમાં 36, વરાછા-A-Bમાં 59 કેસ છે.
એક દિવસમાં કોરોનાના 1415 કેસ નોંધાયા છે. એક દિવસમાં 948 દર્દીઓ થયા સાજા. રાજ્યમાં કુલ 67 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે રાજ્યમા કોરોનાના 6147 એક્ટિવ કેસ છે.
એક દિવસમાં કોરોનાથી 4 દર્દીના મૃત્યુ થયા છે. અત્યારસુધીમાં કોરોનાથી કુલ 4437 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 2,73,280 દર્દીઓ સાજા થયા છે.
ક્યાં કેટલા કેસ?
અમદાવાદ 344
સુરત 450
વડોદરા 146
રાજકોટ 132
ભાવનગર 32
ગાંધીનગર 27
જામનગર 28
જૂનાગઢ 12
કચ્છ 17
મહેસાણા 26
ગીર સોમનાથ 03
દાહોદ 12
ભરૂચ 18
નર્મદા 15
આણંદ 12
અમરેલી 09
પંચમહાલ 20
મહીસાગર 12
સાબરકાંઠા 18
છોટાઉદેપુર 14
પાટણ 10
ખેડા 24
એક વર્ષ પહેલાં આજના દિવસે એટલે કે 19 માર્ચ 2020ના રોજ ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારે આજે ફરી એક વખત આજે 19 માર્ચ 2021ના રોજ 1415 કેસ નોંધાતા ચિંતા ફરી વધી ગઈ છે. જ્યારે કોરોના પોતાની ઊંચાઈ પર હતો અને જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ 27 નવેમ્બર 2020ના રોજ 1607 નોંધાયા છે. આવામાં હવે આજના કેસ લગભગ તેની નજીક છે ત્યારે ચિંતાનો માહોલ વધી ગયો છે. છેલ્લાં 2 દિવસથી ગુજરાતમાં કેસ એટલા વધ્યા છે કે અત્યાર સુધીના સૌથી વધુ 1607ના આંકડાની નજીક પહોંચી ગયા છે.
છેલ્લા 10 દિવસમાં કોરોનાની રફ્તાર
વર્ષ
કોરોનાના કેસ
10 માર્ચ
675
11 માર્ચ
710
12 માર્ચ
715
13 માર્ચ
775
14 માર્ચ
810
15 માર્ચ
890
16 માર્ચ
954
17 માર્ચ
1122
18 માર્ચ
1276
આજે નોંધાયા 1415 નવા દર્દી
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1415 નવા દર્દી જ્યારે 948 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે 4 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાનો હાહાકાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 278 કેસ અને ગ્રામ્યમાં 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 252 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 127 કેસ, જ્યારે ગ્રામ્યમાં 19 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 115 કેસ અને ગ્રામ્યમાં 17 કેસ નોંધાયા છે.