સુરત મનપાની ઘોર બેદરકારી સામે આવતા હજારો લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. એક બિમાર વ્યક્તિને કોરોનાગ્રસ્ત જાહેર કરીને સુરતના ખોડિયાનગર વિસ્તારને સિલ કરી દેવામાં આવ્યો હતો જો કે પાછળથી તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અને મનપા દ્વારા વિસ્તારને ખોલી દેવાયો હતો પરંતુ ત્યાં સુધીમાં મૃતક અને તેના પરિવારજનોના સંપર્કમાં આવેલા તેમજ ખોડિયારનગર રહેવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા.
સુરત મનપાની વધુ એક ગંભીર બેદરકારી
બિમારીથી મૃત્યુ થયેલા વ્યક્તિને કોરોના પોઝિટિવ જાહેર કરાયા
કોરોનાગ્રસ્ત જાહેર કરાતા ખોડિયાનગરને કરાયુ સીલ
સુરત મહાનગરપાલિકાની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. બિમારીથી મૃત્યુ થયેલા વ્યક્તિને કોરોનાગ્રસ્ત જાહેર કરાયા છે. મૃતકને કોરોનાગ્રસ્ત જાહેર કરાતા ખોડિયાનગરને સીલ કરવામાં આવ્યું છે. ખોડિયારનગરને સીલ કરાતા અંતિમવિધિમાં ગયેલા લોકોની ચિંતામાં વધારો થયો છે.
મળતી માહિતી મુજબ 62 વર્ષીય વ્યક્તિનું હ્રદય રોગથી અવસાન થયુ હતુ. મનપા દ્વારા અન્ય વ્યક્તિનો રિપોર્ટ મૃતકના નામે જાહેર કરાયો હોવાનું સામે આવ્યુ. મૃતકના સગાએ રિપોર્ટની માગ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. મનપાએ સ્પષ્ટતા કરતા વિસ્તારને ખોલાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.