સુરત શહેર પોલીસ કમિશનરની તહેવારો મુદ્દે ગાઈડલાઈન જાહેર કરી છે. તહેવારોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ગાઈડલાઈન જાહેર કરી છે. હાલ સુરતમાં કોરોના વકર્યો છે. ગઈ કાલે ગુજરાતમાં 34 લોકોના કોરોનાથી મોત થયા હતા જેમાંથી 21 લોકો સુરતના હતા.
સુરત શહેર પોલીસ કમિશનરની તહેવારો મુદ્દે ગાઈડલાઈન
તહેવારોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ગાઈડલાઈન જાહેર
દશામાનું વ્રત અને મૂર્તિ સ્થાપન ઘરે જ કરવા અપીલ
સુરત શહેર પોલીસ કમિશનરની તહેવારો મુદ્દે ગાઈડલાઈન જાહેર કરી છે. તહેવારોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ગાઈડલાઈન જાહેર કરી છે. દશામાઁનું વ્રત અને મૂર્તિ સ્થાપન ઘરે જ કરવા અપીલ કરવામાં આવી છે. આ મૂર્તિઓનું વિસર્જન પણ ઘરે જ કરવા માટે સુચનો કરવામાં આવ્યાં છે. જન્માષ્ટમીનો તહેવાર પણ ઘરે જ ઉજવવા સુચનો કરવામાં આવ્યાં છે. તેમજ ગણપતિ ઉત્સવમાં ઘરે 2 ફૂટથી મોટી મૂર્તિનું સ્થાપન કરવું નહીં. પરંતુ ભક્તોએ ઘરે જ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવું પડશે. સુરત મહાનગર પાલિકા ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનાવશે નહીં.
કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપેટમાં
સુરત શહેરમાં કોરોનાના ઝપેટમાં કોરોના વોરિયર્સ સપડાયા છે. ગઇકાલે મનપાના 2 સેનેટરી ઇન્સપેક્ટર પોઝિટિવ આવ્યા છે. સિવિલના વધુ 2 તબીબો ચેપગ્રસ્ત થયા છે. સિવિલ હોસ્પિટલના નર્સ પણ કોરોનાગ્રસ્ત છે. જ્યારે ખાનગી હોસ્પિટલના ડોક્ટરો અને ઇત્રાણ હેલ્થ સેન્ટરના નર્સ-કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા છે. કોરોના વોરિયર્સમાં ચેપનું પ્રમાણ વધતા તંત્ર ચિંતામાં છે.
રાંદેરમાં કોરોના વકર્યો
સુરત શહેરમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. શહેરમાં રાંદેર ઝોનમાં ફરી કોરોના સક્રિય થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં રાંદેર ઝોનમાં 106 કેસ નોંધાયા છે...રાંદેર ઝોનમાં ફરી કોરોના સક્રિય થતાં તંત્રની ચિંતામાં વધારો થયો છે. રાંદેર ઝોનમાં 2400 ઘરોમાં 8 હજાર લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે.
સુરત શહેરમાં કોરોનાના કેસ
16 જુલાઇ 217
17 જુલાઇ 177
18 જુલાઇ 203
19 જુલાઇ 206
20 જુલાઇ 209
21 જુલાઇ 225
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. અત્યાર સુધીના સૌથી વધારે એક હજાર 26 કેસ સામે આવ્યા છે. તો 34 લોકોએ કોરોનાને કારણે જીવ પણ ગુમાવ્યો છે. તો 744 દર્દીઓને સારી સારવાર બાદ રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર થઈ ગયો છે. તો નવા કેસમાં અમદાવાદમાં 187, અમદાવાદ ગ્રામ્યમાં 13 વડોદરામાં 75, જામનગરમાં 16, સુરેન્દ્રનગરમાં 21, અને પાટણમાં નવા 20 કેસ નોંધાયા છે.