ગુજરાતમાં રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે સુરતમાં કેન્દ્રની ટીમ આવી હતી જેમાં સુરતની સ્થિતિ હજુ ગંભીર થવાનું કલેક્ટરનું નિવેદન ચિંતાજનક બન્યુ છે.
સુરત કલેક્ટર ડો.ધવલ પટેલનુ નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, સુરતની સ્થિતિ હજુ પણ વધુ ગંભીર થઈ શકે છે. સુરતમાં આજે કેન્દ્રની ટીમે મુલાકાત લીધી હતી.
શું કહે છે સુરત કલેક્ટર ડો. ધવલ પટેલ?
સુરત કલેક્ટર ડો.ધવલ પટેલે જણાવ્યુ હતુ કે, સુરતની સ્થિતિ હજુ ગંભીર બની શકે છે. જે ઝડપે કેસ વધ્યા એ ચિંતાનો વિષય છે. આ વખતે હોસ્પિટલાઈઝશન વધ્યું છે. ઓક્સિજનની જરૂરિયાત વાળા કેસોની સંખ્યા વધી છે. જરૂરિયાત ન હોય તો ઘરની બહાર ન નીકળે તેવી અપીલ છે. ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની માહિતી મેળવાઈ રહી છે. કન્ટેઇનમેન્ટ ઝોન સહિતના મુદ્દા પર માહિતી એકત્ર કરાઈ રહી છે. દર્દીઓના સગાઓએ ઇન્જેક્શન લેવા જવાની જરૂર નથી. હોસ્પિટલ દ્વારા ઇન્જેક્શનની માંગણી કરવામાં આવશે.
સ્મશાનોમાં ભીડ
સુરતમાં કોરોના કોરોના સંક્રમણ ખતરનાક સ્તરે પહોંચી ગયુ છે. શહેરના મુખ્ય 3 સ્મશાન ગૃહો સતત ચાલુ રહ્યા હતા. પ્રોટોકોલ મુજબ રાઉન્ડ ધ ક્લોક અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી રહી છે. આખી રાત જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમીમાં શબવાહીની લાઇન લાગેલી રહી હતી. એક જ દિવસમાં કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં 60થી વધુ મૃતદેહોના અંતિમસંસ્કાર કરાયા હતા જ્યારે વહેલી સવારે શબવાહીનીની લાંબી લાઇનનો વીડિઓ વાયરલ થયો હતો. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં કોરોના પ્રોટોકોલ મુજબ મૃતદેહો ના અંતિમવિધિ માટે ગેસ ની 3 ભઠ્ઠી અનામત રખાઈ છે. કુરુક્ષેત્ર ઉપરાંત અશ્વનિકુમાર સ્મશાન ભૂમિ અને રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ માં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં અત્યાર સુધીમાં 4620 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 175 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 804 કેસ અને ગ્રામ્યમાં 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 621 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 198 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 351 કેસ, જ્યારે ગ્રામ્યમાં 106 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 395 કેસ અને ગ્રામ્યમાં 95 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...