સુરત / આરોગ્યમંત્રીના શહેરમાં જ લાલિયાવાડી: કોરોનાથી મોતના 11 દિવસ બાદ પરિવારને કરી જાણ

coronavirus in Surat civil hospital staff carelessness inform family after death

આરોગ્યમંત્રી કુમાર કાનાણીના શહેરમાં જ લાલિયાવાડી ચાલી રહી છે કોરોનાની મહામારીમાં હાલ સુરત અમદાવાદનેય હંફાવી રહ્યુ છે ત્યારે સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. સુરત સિવિલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં કોરોનાથી વૃદ્ધાનું મોત થયાના 11મા દિવસે ઘરે ફોન આવ્યો, ‘તમારી માતાની તબિયત સારી છે, નિયમિત દવા લે છે’ ત્યારે ફોન પર આ શબ્દો સાંભળી મૃતકના દીકરો આશ્ચર્યમાં મૂકાઇ ગયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ