સ્કૂલ ખોલવાની ચર્ચા વચ્ચે ચિંતાજનક સમાચાર મળી રહ્યાં છે. સુરતમાં બાળકો-તરુણોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે
સુરત માટે ચિંતાજનક સમાચાર
બાળકો-તરુણોમાં વધ્યું કોરોનાનું સંક્રમણ
0-11 વર્ષના બાળકોમાં સંક્રમણ 3.7 ટકા
સ્કૂલ ખોલવાની ચર્ચા વચ્ચે ચિંતાજનક સમાચાર મળી રહ્યાં છે. સુરતમાં બાળકો-તરુણોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. છેલ્લા 10 દિવસમાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. તંત્રએ બાળકોમાં સંક્રમણ અટકાવવા રણનીતિ ઘડવી પડશે.
0-11 વર્ષના બાળકોમાં કોરોના સંક્રમણ 3.7 ટકા છે. જ્યારે 11થી 20 વર્ષના બાળકોમાં સંક્રમણ 10.4 ટકા છે. અત્યાર સુધી અનુક્રમે 1.42 ટકા અને 4.63 ટકા સંક્રમણ હતું.
સુરત પર મોતના આંકડા છુપાવવાના પણ થઈ રહ્યા છે આક્ષેપ
સુરત સિવિલ હોસ્પિટલમાં મૃત્યુઆંકને લઇ ફરી સવાલો ઉઠ્યા છે. સુરત સિવિલ મૃત્યુઆંક છૂપાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. જુલાઇમાં સુરત સિવિલમાં 1 હજાર 62 લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી 180 દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ એ છે કે બાકીના 882 દર્દીઓના મૃત્યુની બિમાર અંગે કેમ કોઇ કારણ સામે નથી આપ્યું. મેથી ઓગસ્ટ સુધીમાં સિવિલમાં માત્ર કોરોનાની જ સારવાર થઇ રહી છે.
ગત વર્ષે જુલાઇ મહિનામાં સુરત સિવિલમાં 297 દર્દીઓના મૃત્યુ થયા હતા. ત્યારે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં 765 મૃત્યુ વધુ થયા છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે સુરત સિવિલ હોસ્પિટલ મૃત્યુના આંકડા મુદ્દે ચુપ કેમ?. શું સુરત સિવિલ મૃત્યુના આંકડા છૂપાવી રહી છે? જુલાઇમાં 1062 મૃતકોમાં 180એ કોરોનાથી જીવ ગુમાવ્યો તો બાકીના 882નું શું થયું?. 1062માંથી 882 દર્દીઓ કયા કારણથી મૃત્યુ પામ્યા? અન્ય 882 મૃતકોના બિમારીના કારણ અંગે તંત્ર કેમ ચુપ છે?
સળગતા સવાલ
સુરત સિવિલ હોસ્પિટલ મૃત્યુના આંકડા મુદ્દે ચુપ કેમ?
શું સુરત સિવિલ મૃત્યુના આંકડા છૂપાવી રહી છે?
જુલાઇમાં 1062 મૃતકોમાં 180એ કોરોનાથી જીવ ગુમાવ્યો તો બાકીના 882નું શું થયું?
1062માંથી 882 દર્દીઓ કયા કારણથી મૃત્યુ પામ્યા?
બાકી 882 મૃતકો અંગે તંત્ર કેમ ચુપ?