કોરોના કાળમાં સુરતની સુરત બદસુરત થઈ ગઈ છે લોકો મોડી રાતથી જ ભાજપ કાર્યલયની બહાર લાંબી લાઈનો લગાવીને ઉભા રહી ગયા છે.
સુરતમાં ઇન્જેક્શન માટે લોકો મારી રહ્યાં છે વલખા
લોકો વહેલી સવારથી જ ઉભા લાઈનમાં
ભાજપ કાર્યાલય ઉપર વહેલી સવારે લોકોએ લગાવી લાઈન
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 54 લોકોના કોરોનાથી મોત થયા છે આ સરકારી આંકડો છે સ્મશાનો તો કંઈ ક ઓર જ વાત કહી રહ્યા છે ત્યારે હાલ ભાજપ કોરોનામાં કામ આવનાર રેમડેસિવિર ઈન્જેક્શન ફ્રિમાં આપી રહ્યુ છે ત્યારે વહેલી સવારથી જ અહીં લોકોની લાઈનો લાગી હતી.
સુરતમાં ઇન્જેક્શન માટે લોકો વલખા મારી રહ્યાં છે સ્વજનોના જીવ બચાવવા લોકો વહેલી સવારથી જ લાઈનો લગાવીને ઉભા રહી ગયા હતા. ભાજપ કાર્યાલય ઉપર વહેલી સવારે લોકોએ લગાવી દીધી હતી. 5 વાગ્યાથી લોકો ઇન્જેક્શન મેળવવા લાઈનમાં ઉભા રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 5469 કેસ નોંધાયા છે અને 2976 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,15,127 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 54 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 54 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4800 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 203 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 27,568 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1504 કેસ જ્યારે સુરત શહેરમાં 1087 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 361 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 277 કેસ, જ્યારે ગ્રામ્યમાં 139 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 405 કેસ અને ગ્રામ્યમાં 70 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...