કોરોનાને કારણે સુરતમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ હોવાનું જાણવા મળી રહ્યુ છે. હાલ સુરતમાં 3.50 લાખથી વધુ વસતી ક્વોરન્ટાઈન કરવામાં આવી છે. અને આ આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે.
સુરતમાં હાલ 79,231 ઘરો હાલ ક્વોરન્ટાઈન,
3.50 લાખથી વધુ વસતી ક્વોરન્ટાઈન
લિંબાયત ઝોનમાં સૌથી વધુ ક્વોરન્ટાઈન લોકો
સુરતમાં મનપા દ્વારા ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરાય છે જેમાં આંકડા ચોંકાવનારા છે. શહેરમાં હાલ 79,231 ઘરો હાલ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે જેમાં 3.50 લાખથી વધુ વસતી ક્વોરન્ટાઈન છે. સૌથી વધુ લીંબાયત ઝોનમાં ક્વોરન્ટાઈન ઘર અનો લોકો છે. લીંબાયતમાં 36,296 ઘરોમાં 1,82,081 લોકો ક્વોરન્ટાઈન કરાયા છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,152 કેસ નોંધાયા છે તો 81 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. અને 3,023 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,6394 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 73 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5076 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 267 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 44,298 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2631 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 41 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1551 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 313 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 348 કેસ, જ્યારે ગ્રામ્યમાં 138 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 698 કેસ અને ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...