સુરતમાં વતન ગયેલા શ્રમિકો પરત ફરી રહ્યા છે. ત્યારે શ્રમિકો પરત ફરતા કોરોના વધવાની દહેશત વધી છે.
સુરતમાં શ્રમિકો ફરી રહ્યા છે પરત
શ્રમિકો પરત ફરતા કોરોના વધવાની દહેશત
મનપા દ્વારા રેલવે સ્ટેશન ઉપર કરાય છે ટેસ્ટિંગ
સુરતમાં વતન ગયેલા શ્રમિકો પરત ફરી રહ્યા છે. ત્યારે શ્રમિકો પરત ફરતા કોરોના વધવાની દહેશત વધી છે. મનપા દ્વારા રેલવે સ્ટેશન ઉપર કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ટેસ્ટિંગ દરમિયાન 100 જેટલા લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
100 શ્રમિકો કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને તેની ચિંતા વધી છે. આ માટે તંત્ર દ્વારા શ્રમિકોના ટેસ્ટ ફરજિયાત કરવાઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ કામદારો માટેની પોલિસીનો પણ અમલ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે.
ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1295 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો કુલ આંક 1,06,966 પર પહોંચ્યો છે. તો આજે 1445 દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 81.87% પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16,351 છે. આજે સંક્રમણથી 13 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3136 પર પહોંચ્યો છે.
મહાનગરો બાદ આ જિલ્લાએ ચિંતા વધારી
આજે મહાનગરો સુરતમાં 265, અમદાવાદમાં 170 કેસ, વડોદરામાં 123, રાજકોટમાં 134 બાદ સૌથી વધુ જામનગર જિલ્લામાં 99 કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ પોરબંદર અને ડાંગ જિલ્લામાં નોંધાયા છે.
સૌથી વધુ આ જિલ્લામાં સાજા થયા દર્દી
રાજ્યમાં આજે 1445 દર્દીઓ સાજા થયા છે જેમાં સુરતમાં 231, જામનગરમાં 130, સૌથી વધુ રાજકોટમાં 320 દર્દીઓ સાજા થયા છે.
આજે 72,076 કોરોના વાયરસના ટેસ્ટ થયા
રાજ્યમાં કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે કોરોનાના ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક મહિનાથી રેપિડ એન્ટીજન કિટનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, ગત 24 કલાકમાં 72,076 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 29,25,447 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગતો નીચે મુજબ છે.