સુરતમાં કોરોનાની રસી લીધા બાદ 3 ઇજનેરોને કોરોનાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યુ છે.
રસી લીધા બાદ 3 ઇજનેરોને કોરોના
રસીના 2 ડોઝ લીધા બાદ થયા કોરોનાગ્રસ્ત
વેક્સિનની અસરકારતા સામે ઉભા થયા પ્રશ્નો
સુરતમાં ઈજનેરોને કોરોના રસીના 2 ડોઝ લીધા બાદ કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે અન્ય એકને ઇજનેરને પ્રથમ ડોઝ બાદ કોરોના થયો છે. કોરોના વેક્સિનની અસરકારતા સામે પ્રશ્નો ઉભા થયા છે. ડોક્ટરના મત પ્રમાણે 15 દિવસ બાદ એન્ટીબોડી ડેવલપ થાય છે.
2 હજાર ટેસ્ટ સામે 2થી 3 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ
સુરત કોરોના ટેસ્ટિંગ મામલે શાળાઓ પર મનપા તંત્ર દ્વારા ભીંસ કરવામાં આવી રહી છે. દરરોજ 2 હજારથી વધુ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાઈ રહ્યાં છે. જેમાંથી 2 હજાર ટેસ્ટ સામે 2થી 3 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ મળી રહ્યાં છે. સક્રિય ટેસ્ટિંગના કારણે સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
સુરતમાં કોરોન્ટાઇન ઝોનની સંખ્યા 500ને પાર
સુરતમાં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા જેવો ઘાટ ઘડાયો છે. ચૂંટણી પત્યા બાદ સુરત મનપા તંત્રના નવા આદેશો બહાર આવ્યા છે. કોરોનાની રોકથામ માટે સુરત મનપાના આદેશો થઈ રહ્યા છે. સુરતના શાળા-ટ્યુશન સંચાલકોને મનપા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. ક્લાસના AC ચાલુ રાખી બારી-બારણા ખુલ્લા રાખવા આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી બાદ જ નવા આદેશો થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સુરતમાં કાલે વધુ 90 પોઝિટિવ કેસો મળ્યા છે. સુરતમાં કોરોન્ટાઇન ઝોનની સંખ્યા 500ને પાર થયો છે.
રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો
24 કલાકમાં 555 કોરોનાના કેસ નોંધાયા
24 કલાકમાં રાજ્યમાં 482 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં કુલ 41 દર્દીઓ વેન્ટિલેટર પર
રાજ્યમા કોરોનાના 3212 એક્ટીવ કેસ
24 કલાકમાં કોરોનાથી 1 દર્દીનુ મૃત્યુ
કોરોનાથી કુલ 4416 દર્દીઓના મૃત્યુ થયા
રાજ્યમાં કુલ 266313 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 129 કેસ નોંધાયા
સુરત શહેરમાં 90, સુરત ગ્રામ્યમાં વધુ 10 કેસ
વડોદરા શહેરમાં 89, ગ્રામ્યમાં વધુ 14 કેસ નોંધાયા
રાજકોટ શહેરમાં 35 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 9 કેસ
ભાવનગરમાં 15, ગાંધીનગરમાં વધુ 14 કેસ નોંધાયા
જામનગરમાં 8, જૂનાગઢમાં વધુ 9 કેસ નોંધાયા
કચ્છમાં 11, મહેસાણામાં વધુ 5 કેસ નોંધાયા
ગીર સોમનાથમાં 5, દાહોદમાં વધુ 10 કેસ નોંધાયો
ભરૂચમાં 11, નર્મદામાં 2, ખેડામાં વધુ 14 કેસ નોંધાયા