રાજકોટ જિલ્લામાં 355 ગામડાઓ સ્વયંભૂ બંધ કરીને નવી રાહ ચીંધી છે
રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસનો કહેર
સરકાર લોકડાઉન કરે કેં નહી ગ્રામજનોએ લોકડાઉન કર્યું
જિલ્લાના 596 ગામડામાંથી 355 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન
રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસનો કહેર વર્તી રહ્યો છે ત્યારે તંત્ર તરફથી તો કોઈ લોકડાઉન નથી આપવામાં આવ્યુ પણ લોકો કોરોનાની ઘાતક લહેરને જોઈને સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યા છે. સરકાર લોકડાઉન કરે કેં નહી ગ્રામજનોએ લોકડાઉન કર્યું છે.
રાજકોટ જિલ્લામાં 355 ગામડાઓ સ્વયંભૂ બંધ કરીને નવી રાહ ચીંધી છે. રાજકોટ જિલ્લાના 596 ગામડામાંથી 355 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કર્યુ છે.
ક્યાં ક્યાં લોકડાઉન
ઉપલેટાના 18 ગામોમાં લોકડાઉન
ગોંડલના 49 ગામોમાં લોકડાઉન
કોટડા સાંગાણીના 16 ગામોમાં લોકડાઉન
જસદણના 50 ગામોમાં લોકડાઉન
જામ કંડોરણાના 14 ગામોમાં લોકડાઉન
જેતપુરના 37 ગામોમાં લોકડાઉન
ધોરાજીના 26 ગામોમાં લોકડાઉન
રાજકોટના 49 ગામોમાં લોકડાઉન
લોધીકાના 20 ગામોમાં લોકડાઉન
વિંછીયાના 35 ગામોમાં લોકડાઉન
પડધરીના 41 ગામોમાં લોકડાઉન
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 11,403 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 117 લોકોના મોત નિપજ્યા છે આ સાથે જ 4,179 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,41,724 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 117 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 117 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5494 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 341 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 68,754 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4207 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 51 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1879 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 484 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 436 કેસ, જ્યારે ગ્રામ્યમાં 189 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 663 કેસ અને ગ્રામ્યમાં 98 કેસ નોંધાયા છે.
ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...