રાજકોટમાં છેલ્લા 3 લોકડાઉનથી ફસાયેલા શ્રમિકોની ધીરજ ખુટી પડી છે અને તે તમામ લોકો હવે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. પોલીસ જો તેમને રોકે તો તે પોલીસ પર હૂમલો કરે છે અને તેમની વેદાનાને વાચા આપતા મીડિયાકર્મી પર પણ હૂમલો કરી રહ્યા છે. શાપર અને જંગલેશ્વરમાં શ્રમિકોના તોફાનના મામલા સામે આવ્યા છે તેઓ પોતાના ઘરે પરત જવાની માંગ સાથે હિંસા પર ઉતરી આવ્યા છે.
રાજકોટના શાપરમાં વતન જવાની માગને લઈને શ્રમિકોએ કર્યો ચક્કાજામ
વેરાવળ શાપર હાઈવે પર શ્રમિકોએ કરી તોડફોડ
મીડિયા અને પોલીસવાન પર શ્રમિકોનો પથ્થરમારો
લોકડાઉનને લઈને રાજકોટના શાપરના શ્રમિકો વતન જવાની માગ કરી રહ્યા છે. વતન જવાની માગને લઈને શ્રમિકોએ હોબાળો કર્યો. વેરાવળ શાપર હાઈવે પર શ્રમિકોએ તોડફોડ કરી હતી. શ્રમિકોએ મીડિયા અને પોલીસવાન પર શ્રમિકો પથ્થરમારો કરતા ઉચ્ચ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શ્રમિકોએ કરેલા પથ્થરમારામાં પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
મહત્વનું છે કે, આજે રાજકોટમાંથી ઉત્તરપ્રદેશની ટ્રેન જવાની છે, આજની ટ્રેન કેન્સલ થઈ હોવાની અફવા ફેલાઈ હતી. જેના કારણે શ્રમિકોમાં રોષ જોવા મળ્યો. રોષે ભરાયેલા શ્રમિકો રસ્તા પર ઉતર્યા હતા. બે હજાર જેટવા શ્રમિકો રસ્તા પર આવતા કેટલાક અસામાજીક તત્વોએ તોડફોડ કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા સિવિલ ડ્રેસમા તોફાની તત્વો પર નજર રાખવામાં આવી રહી છે.
સળગતા સવાલ?
વતન જવાની માગ સાથે હોબાળો કરવો કેટલું યોગ્ય?
વાહનોમાં તોડફોડ કરવાથી સમસ્યાનો અંત આવશે?
પોલીસ અને મીડિયા સાથે કેમ કરવામાં આવ્યું ગેરવર્તન?