રાજકોટમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા કરતી ઘટના સામે આવી છે. હવે બાળકોના ભવિષ્યને વધુ સારુ અને ઉજ્જવળ બનાવવા તેમને શિક્ષણ આપવાનું હોય છે પણ મહામારીમાં બાળકોને શાળાએ બોલાવીને કયુ ભવિષ્ય પ્રકાશિત કરવાની કોશિશ કરાઈ રહી છે તે પ્રશ્નો ઉઠી રહ્યો છે.
રાજકોટમાં શિક્ષણના નામે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા
કોરોના મહામારી વચ્ચે રાજકોટની શાળામાં અભ્યાસ
રામાપીર ચોકડી નજીકની જ્ઞાનદીપ શાળા ચાલુ
રાજકોટમાં શિક્ષણના નામે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઇ રહી છે. કોરોના મહામારી વચ્ચે રાજકોટમાં શઆળામાં અભ્યાસ ચાલી રહ્યો છે. રાજકોટના રામાપીર ચોકડી નજીક આવેલી જ્ઞાનદીપ શાળામાં અભ્યાસ કરાવાઇ રહ્યો છે. જેને લઇ NSUIએ રેડ પડી હતી. ત્યારે કોરોનાના કહેર વચ્ચે શાળા ચાલુ રાખી અને ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા શાળા સંચાલકોની ધરપકડ કરાઇ છે.
જ્ઞાનદીપ શાળાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરાયું છે. ઉપરાંત વિદ્યાર્થીઓએ માસ્ક પણ નથી પહેરાલું. ત્યારે આ રીતે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરવી કેટલી યોગ્ય છે?. શાળા સંચાલકો ઓનલાઇન ક્લાસની વ્યવસ્થા ના કરી શકે?. વિદ્યાર્થીઓને કંઇ થઇ જશે તો જવબાદાર કોણ રહેશે?. વાલીઓ પણ કેમ સમજતા નથી?.
સળગતા સવાલ
જ્ઞાનદીપ શાળા સામે ડીઇઓ કોઇ પગલા લેશે?
આ રીતે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરવી કેટલી યોગ્ય છે?
શાળા સંચાલકો ઓનલાઇન ક્લાસની વ્યવસ્થા ના કરી શકે?
વિદ્યાર્થીઓને કંઇ થઇ જશે તો જવબાદાર કોણ રહેશે?
વાલીઓ પણ કેમ સમજતા નથી?
વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરતી સ્કૂલની માન્યતા જ કેમ રદ નથી કરાતી?