ગુજરાત સરકાર આ દ્રશ્યો જુઓ અને હવે તો દર્દીઓને દવા આપો.
દર્દીઓની અને એમ્બ્યુલન્સ લાઈનમાં ખાટલા પણ લાગ્યા
ખાટલા સાથે ઓક્સિજન પણ લગાડવામાં આવ્યા
સરકારે વ્યવસ્થા ખાટલાની ના કરતા દર્દીઓ ઘરેથીજ ખાટલા
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બદથી બદ્તર થઈ રહી છે હવે લોકો કોરોના સામે લડી નથી રહ્યા પણ મરી રહ્યા છે ત્યારે રાજકોટના આ દ્રશ્યો તમને આ મહામારીની ગંભીરતા સમજાવે તો સારૂ. કેમ કેમ કે, ખાટલા નથી હોસ્પિટલમાં વારો આવતા નથી ત્યારે કોવિડ કેરની બહાર દર્દીઓ જાતે ખાટલા લાવીને ઓક્સિજન લઈ મોત સામે જંગે ચઢ્યા છે.
આ લાઈનો શેની છે
રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલમાં એમ્બ્યુલન્સની સાથે કરુણ દ્ર્શ્યો જોવા મળ્યા છે. દર્દીઓની અને એમ્બ્યુલન્સ લાઈનમાં ખાટલા પણ લાગ્યા છે. ખાટલા સાથે ઓક્સિજન પણ લગાડવામાં આવ્યા છે. સરકારે વ્યવસ્થા ખાટલાની ના કરતા દર્દીઓ ઘરેથીજ ખાટલા લાવવાનું શરૂ કર્યું છે. કોરોનાની મહામારી સામે સતર્કતા જ બચાવ છે આ દર્શ્યો ઘણુ કહી જાય છે.
ગુજરાતમાં 24 કલાકમાં 117ના મોત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 11,403 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 117 લોકોના મોત નિપજ્યા છે આ સાથે જ 4,179 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,41,724 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 117 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 117 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5494 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 341 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 68,754 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4207 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 51 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1879 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 484 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 436 કેસ, જ્યારે ગ્રામ્યમાં 189 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 663 કેસ અને ગ્રામ્યમાં 98 કેસ નોંધાયા છે.
ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...