ગુજરાત સહિત સમગ્ર ભારતમાં છેલ્લા 52 દિવસથી લોકડાઉન ચાલી રહ્યુ છે જેને પરિણામે કરિયાણું, દૂધ, શાક અને દવા સિવાયની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. અને એટલું જ નહીં પરંતુ જ્યાં કોરોનાનું સંક્રમણ વધુ છે ત્યાં તો દૂધ અને દવા સિવાયની દુકાનો પણ બંધ હતી જે આજથી ચાલુ કરવામાં આવી છે. ત્યારે પાન-મસાલા માટે કુખ્યાત રાજકોટમાં કોરોનાને કારણે બે લોકોના મોત થયા છે જ્યારે લોકડાઉનમાં 2 લોકોએ પાન-મસાલો ન મળવાને કારણે આપઘાત કરી લીધો છે.
રાજકોટમાં મસાલો ન મળતા યુવકનો આપઘાતનો પ્રયાસ
યુવકે એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ
ગોંડલ રોડ પર ST વર્કશોપ પાછળ કર્યો આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં મસાલો ન મળતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવકે એસિડ પી અને આપઘાતનો પ્રયાસ કર્યો. આંબેડકર નગરમાં રહેતા યુવકને મસાલો ન મળતા ગોંડલ રોડ પર ST વર્કશોપ પાછળ આપઘાતનો પ્રયાસ કર્યો છે. અગાઉ એક વૃદ્ધે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લોકડાઉનમાં અત્યાર સુધી રાજકોટના 2 લોકોએ આપઘાત કર્યો છે.
રાજકોટમાં કોરોનાની શું છે સ્થિતિ
રાજકોટમાં કોરનાથી અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 66 લોકો કોરોનાગ્રસ્ત બન્યા છે અને 51 લોકો કોરનાને મહાત આપીને સાજા થઈ ગયા છે. અત્યાર સુધીમાં રાજકોટમાં 3616 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 7335 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. જો કે રાજકોટ ઓરેન્જ ઝોનમાં છે.
ગુજરાતમાં શું છે સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 324 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 9592 થઇ છે.