રાજકોટમાં 200થી વધુ મનપાના કર્મચારીઓ સંક્રમિત થયા છે. કલેક્ટર ઓફિસમાં 25 કર્મચારીઓ સંક્રમિત થયા છે. પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયતમાં પણ સંક્રમણ ફેલાયું છે. રાજકોટમાં 125થી વધુ તબીબો પણ કોરોના સંક્રમિત છે.
રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત
રાજકોટ શહેરમાં 4731 પોઝિટિવ કેસ નોંધાયા
શહેરમાં 1238 દર્દીઓ સારવાર હેઠળ
રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં 4731 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં 1238 દર્દીઓ સારવાર હેઠળ છે.
કોરોનાથી મૃત્યુના કેસમાં તંત્રની બેદરકારી
મોતના આંકના છુપાવવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ થી રહ્યા છે. 3 દિવસમાં કોરોનાથી 96 લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે પરંતુ ઓડિટના બહાને મૃત્યુના આંક છૂપાવવાનો પ્રયાસથી રહ્યો છે જેને પગલે તંત્ર દ્વારા પ્રતિદિન 2 મૃત્યુ દર્શાવાય છે.
રાજકોટમાં 125થી વધુ તબીબો પણ કોરોના સંક્રમિત
રાજકોટ ગ્રામ્યમાં કુલ 2321 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં હાલ 588 કેસ એક્ટિવ છે. શહેરની તમામ સરકારી કચેરીઓમાં કર્મીઓ કોરોનાગ્રસ્ત છે. 200થી વધુ મનપાના કર્મચારીઓ સંક્રમિત થયા છે. કલેક્ટર ઓફિસમાં 25 કર્મચારીઓ સંક્રમિત થયા છે. પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયતમાં પણ સંક્રમણ ફેલાયું છે. રાજકોટમાં 125થી વધુ તબીબો પણ કોરોના સંક્રમિત છે.