દેશ અને દુનિયામાં કોરોના મહામારીનો આતંક ફેલાયો છે ત્યારે ભારત સહિત દુનિયાના તમામ દેશોના વૈજ્ઞાનિક કોરોનાની વેક્સીન બનાવવામાં જોડાયા છે. કોરોના વાયરસથી બચવા માટે તમામ દાવાની વચ્ચે રાજસ્થાનના ભાજપના સાંસદ સુખબીર સિંહ જૌનપુરિયાએ એક અનોખો દાવો કર્યો છે. કોરોનાથી બચવા અને પોતાની ઈમ્યૂન સિસ્ટમને વધારવા માટે સાંસદે આ સલાહ આપી છે કે કીચડમાં નહાઓ અને શંખ વગાડો. સાંસદ તેમની આ સલાહને લઈને ચર્ચામાં છે. સોશ્યલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
કોરોનાથી બચવાને લઇને વધુ એક સાંસદે આપી વિચિત્ર સલાહ
કાદવમાં સ્નાન કરવાથી અને શંખ ફૂંકવાથી કોરોનાથી બચી શકાશેઃ સુખબીરસિંહ
સુખબીરસિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ટોંક સવાઈ માઘોપુરથી સાંસદ સુખબીર સિંહ જૌનપુરિયાનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ દેશની જનતાને કોરોના વાયરસથી બચવાને લઈને અજીબો ગરીબ પ્રયોગ કરવાનું જણાવી રહ્યા છે, વીડિયોમાં સુખબીર સિંહ જૌનપુરિયા શંખ પણ વગાડી રહ્યા છે અને લોકોને પોતાના ફેફસા અને કિડની સારી રાખવા માટે આ કામ કરવાનું કહી રહ્યા છે.
BJP MP Sukhbir Singh Jaunapuria claims mud pack, blowing of conch shell boosts immunity against coronavirus pic.twitter.com/v0cjDtZ2xy
સાંસદ સુખબીર સિંહ જૌનપુરાના વીડિયો પર દિલ્હી મહિલા અધ્યક્ષ સ્વાતિ માલીવાલે લખ્યું કે કોરોનાની લડાઈમાં માસ્ક પહેરો, સોશ્યલ ડિસ્ટન્સિંગ બનાવી રાખો અને સાથે આવી વાહિયાત સલાહથી દૂર રહો. ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે કોરોનાથી બચવા માટે ભાભીજી પાપડ ખાવાની સલાહ આપી હતી. જ્યારે કેટલાક દિવસો બાદ તેઓ પોતે જ કોરોના સંક્રમિત થયા હતા.
ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર રાજસ્થાનમાં અત્યાર સુધી 862 લોકોના જીવ કોરોના વાયરસના સંક્રમણને કારણે ગયા છે. જ્યારે દેશમાં કોરોના સંક્રમણનો આંક 26 લાખને પહોંચવા આવ્યો છે. આ સાથે દેશના 8 રાજ્યોમાં કોરોના કેસની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે. ભારતમાં એક દિવસમાં કોરોનાના 63490 કેસ સામે આવ્યા છે. સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 25,89,682 થઈ છે.