પટિયાલા શાકમાર્કેટમાં બહાર મેન ગેટ પર પોલીસ કર્મીઓ તૈનાત હતા. ત્યારે પોલીસે નિહંગ શીખોને કર્ફ્યૂ પાસ બતાવવા કહ્યું હતું. પરંતુ તેમને પાસે ન હોવાથી તેમને પરત જવા કહ્યું. પંજાબના પટિયાલામાં પોલીસ પર હુમલો કરાયો છે. જેમાં એક પોલીસકર્મીનો હાથ કપાઇ ગયો.
પટિયાલા શાકમાર્કેટમાં પંજાબ પોલીસ પર હુમલો
હુમલામાં ASIનો હાથ કપાયો, હુમલાખોર ફરાર
જવાબી કાર્યવાહીમાં પોલીસે 7 હુમલાખોરોની કરી ધરપકડ
પોલીસે 7 આરોપીઓની કરી ધરપકડ
પંજાબમાં રવિવારે નિહંગ શીખોએ લૉકડાઉનનું ઉલ્લંઘન કર્યું છે. આ સાથે જ તેઓએ તલવારથી પોલીસ પર હુમલો પણ કર્યો છે. જવાબી કાર્યવાહીમાં પોલીસે 7 નિહંગોની ધરપકડ કરી છે.
ASI Harjeet Singh whose hand was cut-off in an attack by a group of Nihangs at Sabzi Mandi, in Patiala (Punjab) today, is undergoing surgery at PGI Chandigarh. As per Punjab Special Secreatry KBS Sidhu, 7 people have been arrested in connection with the incident. pic.twitter.com/8B5zgj0RuB
પોલીસ સાથેની તકરાર બાદ પણ આ શખ્સો પરત ન જતા ગાડીને દરવાજાને ટક્કર મારી દીધી. અને ત્યારબાદ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો. આ દરમિયાન એક ASI હરજીતસિંહનો હાથ કપાઇ ગયો. હાલ હરજીતસિંહને ચંડીગઢ પીજીઆઇમાં દાખલ કરાયા છે. હુમલામાં અન્ય પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. પોલીસે આ મામલે અત્યારસુધી 7 લોકોને ઝડપી પાડ્યા છે.
અહીં છૂપાયા છે હુમલા ખોર
મળતી માહિતી અનુસાર હાલમાં ઘટના બાદ નિહંદ સિંહ ડેરામાં છૂપાયા છે. પોલીસે ડેરાને ઘેરી લીધો છે. જેરામાંથી પણ નિહંગ સિંહ લાઉડ સ્પીકરની મદદથી પ્રશાસન પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. જેના કારણે વાતાવરણ ચિંતાજનક બન્યું છે.
એએસઆઈ માટે કરાઈ છે આવી વ્યવસ્થા
એએસઆઈ હરજીત સિંહ જેમનો હાથ કપાઈ ચૂક્યો છે તેઓ પીજીઆઈ ચંડીગઢ પહોંચ્યા હતા. તેઓએ નિર્દેશક સાથે વાત કરી અને તેઓએ યોગ્ય પ્લાસ્ટિક સર્જનની નિયુક્તિ કરી છે. હવે તેમના હાથની સર્જરી કરવામાં આવશે અને નિહંગોને પકડવાની કાર્યવાહી પણ જલ્દી જ કરવામાં આવશે.