પાટણ નગરપાલિકાએ વેપારીઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. પાટણ શહેરના ધંધાર્થીઓ માટે વેક્સિનેશન ફરજીયાત કરવામાં આવ્યુ છે. વેક્સિન લીધેલી હશે તો જ કરવા વેપાર કરવા દેવામાં આવશે.
પાટણ નગરપાલિકાનું વેપારીઓ માટે જાહેરનામું
ધંધાર્થીઓ માટે વેક્સિનેશન ફરજીયાત
વેક્સિન લીધી હશે તો જ વેપાર કરાશે
લારી-પાથરણા,દુકાનો,રિક્ષા ચાલકો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે જેમાં પાનના ગલ્લા, રેસ્ટોરન્ટવાળા ધંધાર્થીઓ નો પણ સમાવશ થઈ જાય છે. વેપારીએ વેક્સિન લીધેલી સ્લીપ બતાવવી પડશે. તો જ તેમને વેપાર કરવા દેવામાં આવશે. વેક્સિનેશન વધારવા-સુપર સ્પ્રેડરોને સુરક્ષિત રાખવા માટે આ નિર્ણય કરાયો હોવાનું નગરપાલિકાનું કહેવું છે.
પાટણની ધારપુર હોસ્પિટલમાં બેડ ખૂટી ગયા
કોરોનાનાં વધતા કેસને લઈ ધારપુર હોસ્પિટલમાં બેડ ખૂટી ગયા છે. ધારપુર સુપ્રિરિટેન્ડન્ટ ડૉ. એમ. આર. રામાવતે જણાવ્યુ હતું કે ધારપુર હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટેના બેડ ખૂટી પડ્યા છે. ધારપુર હોસ્પિટલમાં 160 બેડની ઉભા કરવામાં આવ્યા હતાં. આ સાથે જ ધારપુર હોસ્પિટલમાં બે દિવસમાં વધુ 60 બેડ કરવામાં આવ્યા છે. જોકે આ તમામ 220 બેડ કોરોનાનાં દર્દીઓથી ભરાઈ ગયા છે. તેમજ હાલ કોવિડ વોર્ડમાં 220 દર્દીઓની ક્ષમતા સામે 230 દર્દીઓ હાલ કોરોનાની સારવાર હેઠળ છે. જેનાથી 230 માંથી 40 પેશન્ટની હાલત ક્રિટિકલ છે. પાટણ જીલ્લામાં દર ચોવીસ કલાકમાં 100થી વધુ કેસ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. જેને લઈ આવનારો સમય વધુ ઘાતક સાબિત થઇ શકે છે.
પાટણની GMERS ધારપુર હોસ્પિટલનાં ડીન થયા કોરોના સંક્રમિત
પાટણની GMERS ધારપુર હોસ્પિટલનાં ડીન કોરોના સંક્રમિત થયા છે. ડૉ. યોગેસાનંદ ગૌસ્વામી કોરોના સંક્રમિત થયા છે. ડો. ગૌસ્વામી કો-વેકસીનના બંને ડોઝ લીધા હતાં. પોતાના નિવાસ સ્થાને તેઓ હોમ કવોરન્ટાઇન થયા હતાં. બે દિવસ પહેલા ડોક્ટર મુખ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં હાજર હતાં. આ બેઠક પાટણની કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી.