સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ભારત પણ બહું જ ખરાબ રીતે કોરોનાથી પ્રભાવિત છે. જો સૌથી વધુ રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં તેનું પ્રમાણ ખુબ વધારે છે. જોકે મહારાષ્ટ્રની સમસ્યા ઓછી થવાની જગ્યાએ વધી રહી છે ખાસ કરીને મુંબઈની. બીએમસી સતત દાવો કરી રહ્યું છે કે મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. જોકે અહીંના આંકડા બતાવે છે કે કોરોનાને કારણે વરિષ્ઠ નાગરિકો માટે કોરોના કાળ બની ગયો છે.
મુંબઈમાં કોરોનાથી 21 સપ્ટેમ્બર સુધીમાં 8502 લોકોના મોત થયા છે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં મરનારના આંકડા 5126 છે. આ સરેરાશ થયેલા મોંતના 60.29 ટકા છે. જે ઘણી ચિંતાનો વિષય આ દરમિયાન મુંબઈમાં 15 દિવસમાં 451 વૃદ્ધોના મોત થાય છે. જેમાં સૌથી વધુ વૃદ્ધ હતા.
આંકડા પર નજર નાંખીએ તો 60 - 69 વર્ષના 2418 લોકોના મોંત થયા છે. 70- 79 વર્ષના 1807 લોકોના મોત નિપજ્યા છે. 80-89 વર્ષના 809 લોકોના મોત થયા છે. જ્યારે 90 વર્ષથી વધું ઉંમરના 92 લોકોના મોત નિપજ્યા છે.
ભારતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક જ દિવસમાં ભારતમાં વધુ 80 હજાર 376 કેસ નોંધાયા છે. જેના કારણે દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 56 લાખ 40 હજારને પાર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોના થયા બાદ કુલ 45 લાખ 81 હજાર લોકો સાજા થયા છે. હાલ ભારતમાં 9 લાખ 67 હજાર કોરોના એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી કુલ 90 હજાર 021 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં 17 રાજ્યોમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 12 લાખ 42 હજાર કોરોના કેસ નોંધાયા. સૌથી ઓછા મિઝોરમમાં 1 હજાર 691 પોઝિટિવ કેસ નોંધાયા છે.
બીજી તરફ વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. દુનિયામાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 69 હજાર નવા કેસ નોંધાયા છે. કોરોના થયા બાદ કુલ 2 કરોડ 33 લાખ લોકો સાજા થયા છે..જ્યારે કોરોએ કુલ 9 લાખ 74 હજાર લોકોનો ભોગ લીધો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં સૌથી વધુ 80 હજાર 391 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમેરિકામાં 34 હજાર 907, બ્રાઝિલમાં 35 હજાર 252, રશિયામાં 6215 નવા કેસ નોંધાયા છે..તો સ્પેનમાં 10 હજાર 799, આર્જેન્ટિનામાં 12 હજાર 027, ફ્રાંસમાં 10 હજાર 8 અને યૂકેમાં 4 હજાર 926 નવા કેસ નોંધાયા છે.