દેશમાં કોરોના વાયરસની મહામારીનો સૌથી ફટકો મહારાષ્ટ્રને લાગ્યો છે. મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાનો રેકોર્ડ 63, 294 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે 349 લોકોના મોત થયા છે. આ બાદ અહીં કુલ કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધીને 34 લાખ 7 હજાર 245 થઈ ગઈ છે. મોતના આંકડા વધીને મહારાષ્ટ્રમાં હવે 57 હજાર 987 થઈ ગયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 5 લાખ 65 હજાર 587 થઈ ગઈ છે.
સામનામાં લખ્યું છે કે મહારાષ્ટ્રમાં કડક લોકડાઉન લગાવવું જ પડશે
રવિવારે સીએમ ઉદ્ધવ ઠાકરે અને કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક થઈ હતી. જેમાં ટાસ્ક ફોર્સે 2 અઠવાડિયાની વકીલાત કરી છે. અંતિમ નિર્ણય આજે થનારી બેઠકમાં આવવાનો છે. આ પહેલા શિવસેનાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે મહારાષ્ટ્રમાં કડક લોકડાઉન લગાવવું જ પડશે. એવા સંકેત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપ્યા છે. વિપક્ષને લોકડાઉનના કારણે લોકોના અર્થચક્ર બગડી જવાને ડર સતાવી રહ્યો છે તે સ્વાભાવિક છે. પરંતુ હાલ લોકોના જીવ ગુમાવવાનો અનર્થચક્ર ચાલુ છે તેને રોકવા માટે કડક લોકડાઉન અને પ્રતિબંધો જરુરી છે. એવું મુખ્યમંત્રીનું કહેવું છે.
કોવિડ ટાસ્ક ફોર્સે આ સ્થિતિ અંગે સરકારને કર્યા સવાલ
બેઠકમાં ટાસ્ક ફોર્સે રાજ્યોમાં બેડની અછત, ઓક્સિજન સિલેન્ડર, વેન્ટિલેટરની અછતને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને હોસ્પિટલોમાં અનેક પર્યાપ્ત વ્યવસ્થાને સુનિશ્ચિત કરવાનુ કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં લોકડાઉન અથવા અનેક નિર્ણય જારી કરતા પહેલા સીએમ જનતાને એક અથવા 2 દિવસનો સમય આપી શકે છે. સીએમ કાર્યાલયે કહ્યું કે લોકડાઉનને લઈને રાજ્યના તમામ જિલ્લા માટે એક સરખી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે.
સીએમ ઉદ્ધવ રસી અંગે પીએમ મોદીને લખશે બીજી વાર પત્ર
આની વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં રસીના સપ્લાય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બીજી વાર ચિઠ્ઠી લખવાનો નિર્ણય કર્યો છે. તેવામાં તેમણે પીએમને ચિઠ્ઠી લખી રાજ્યમાં કોરોનાની રસીના સપ્લાયને વધારવાની માંગ કરી હતી. બીએમસીએ શુક્રવારે મુંબઈના પ્રાઈવેટ સેન્ટરોમાં રસીની અછતના કારણે રસીકરણ બંધ કરી દીધું હતુ. સરકારી કેન્દ્રો પર રસીકરણ ચાલું છે.
રસી પર રાજકારણ ચાલુ છે
મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં રસીની અછતના મામલે કેન્દ્ર સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. જો કે કેન્દ્રનું કહેવું છે કે દેશમાં રસીની અછત નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને હાલમાં જ ઉદ્ધવ ઠાકરેના દાવાનો ફગાવી દીધો હતો. હર્ષવર્ધને કહ્યું હતુ કે કોઈ પણ રાજ્યમાં રસીની અછત નથી. ઉદ્ધવ ઠાકરોનો આરોપ નીચલુ રાજકારણ છે. તેવું કરીને તે કોવિડ સંકટને પહોંચી વળવાની પોતાની અક્ષમતાને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.