કેરળમાં કોરોનાના કારણે લગભગ 2800 દર્દીઓ આઈસીયૂ કે વેન્ટીલેટર પર ગંભીર સ્થિતિમાં છે. આ આંકડાએ કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો કર્યો છે.
કેરળમાં વકર્યો કોરોના
7 જિલ્લામાં વધ્યું સરકારનું ફોકસ
2 દિવસમાં નવા કેસ અને મોતના આંકડામાં થયો વધારો
કેરળમાં કોરોનાના વધતા કેસની વચ્ચે કેન્દ્ર સરકારના અધિકારીએ કહ્યું કે સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે રાજ્યના 7 જિલ્લા પર ફોકસ વધારાયું છે. આ જિલ્લામાંથી 5માં ઓણમના કારણે 25 ઓગસ્ટે 20 ટકાથી વધારે પોઝિટિવિટી રેટ જોવા મળ્યો છે. અન્ય 2 જિલ્લામાં આ રેટ થોડો ઓછો જોવા મળ્યો હતો. આ સાથે છેલ્લા 2 દિવસમાં સૌથી વધારે નવા કેસ અને મોત નોંધાયા છે. કેન્દ્રીય ગૃહ સચિવે ઉચ્ચ સંક્રમણના કેરળમાં આ વિસ્તારમાં રાતનો કર્ફ્યૂ લગાવવાની સલાહ આપી છે.
हमने अब तक 46.69 करोड़ लोगों को देशभर में कोविड वैक्सीन की पहली डोज़ दी है इनमें से 13.70 करोड़ लोगों को दूसरी डोज़ भी दी जा चुकी है। कुल 60 करोड़ से ज़्यादा डोज़ लगाई गई हैं। पिछले 24 घंटों में 80 लाख डोज़ दी हैं। आज अब तक 47 लाख डोज़ दी गई: केंद्रीय स्वास्थ्य सचिव राजेश भूषण pic.twitter.com/dIlFLg3zH8
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ સાવધાની રાખવા કહ્યું
મળતી માહિતિ અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયે ત્રિશૂર, કોઝિકોડ, વાયનાડ, પલ્લક્કડ અને મલ્લાપુરમમાં 19-25 સુધી 20.5-23 ટકાની વચ્ચે પોઝિટિવિટી રેટ નોંધાયો હતો. મનસુખ માંડવિયાએ 16 ઓગસ્ટે મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની સાથેની મુલાકાતમાં સાવધાની રાખવા કહ્યું હતું. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી પોઝિટિવ કેસ 30000થી વધારે આવ્યા છે અને 26 ઓગસ્ટે પોઝિટિવિટી રેટ 18 ટકા રહ્યો હતો.
ક્યાં કેટલા કેસ
એર્નાકુલમમાં 25 અને 26 ઓગસ્ટે 7920 કેસ
કોઝિકોડમાં 7141 કેસ
ત્રિશૂરમાં 7022 કેસ
મલ્લાપુરમમાં 6487 કેસ
પલ્લકડમાં 4823 કેસ
અહીં છેલ્લા 2 દિવસમાં 90 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે જેમાં સૌથી વધારે એટલે કે 62 મોત પલક્કડમાં, ત્રિશૂરમાં 53 મોત અને કોઝિકોડમાં 41 મોત થયા છે.
भारत में महाराष्ट्र, कर्नाटक, तमिलनाडु और आंध्र प्रदेश ऐसे राज्य हैं जिसमें कोविड के सक्रिय मामले 10,000 से 1,00,000 के बीच हैं। देश में कुल सक्रिय मामलों का केरल में 51%, महाराष्ट्र में 16% और बाकी 3 राज्य(कर्नाटक, तमिलनाडू और आंध्र प्रदेश) का 4%-5% योगदान है: राजेश भूषण https://t.co/sQAODcGPcT
રાજયના હેલ્થ બુલેટિનથી ખ્યાલ આવે છે કે લગભગ 2800 દર્દીની સ્થિતિ ગંભીર છે. તેમાંથી 2131 આઈસીયૂમાં એડમિટ છે તો 757 વેન્ટિલેટર પર છે. કેન્દ્રને માટે આ ચિંતાનો વિષય છે. 26 ઓગસ્ટે કેરળમાં 162 અને 25 ઓગસ્ટે 215 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ 19972 લોકોના મોત થઈ ચૂક્યા છે.
કેન્દ્રીય મંત્રી માંડવિયાએ આપી ખાસ ફોર્મ્યુલા
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે કેન્દ્રીય મંત્રી માંડવિયાએ ગયા અઠવાડિયે મુલાકાતમાં કહ્યું કે સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે 4 સૂત્રની ફોર્મ્યૂલા જરૂરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે રાજ્યને ટેસ્ટિંગ અને કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ વધારવાનું કહેવાયું છે. સાથે હોમ આઈસોલેશનના રોગીને માટે ધ્યાન રાખવાનું રહેવાયું છે કેમકે 80 ટકા લોકો હોમ આઈસોલેશનમાં છે. તહેવારમાં કોવિડ પ્રોટોકોલનું પાલન અને સામૂહિક સમારોહથી બચવાની સલાહ આપવામાં આવી છે અને વેક્સીનેશનને વધારવા માટે ભાર મૂકાયો છે.