જામનગરમાં કોરોના મૃતકોના આંકડામાં તંત્ર ગોલમાલ કરી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જામનગરમાં 261 દર્દીઓના કોરોના ગાઇડલાઇનથી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા.
જામનગરમાં કોરોના મૃતકોના આંકડામાં તંત્રની ગોલમાલ
261 દર્દીઓના કોરોના ગાઇડલાઇનથી અગ્નિસંસ્કાર
સરકારી ચોપડે કોરોના મૃત્યુઆંક માત્ર 21 જ બતાવ્યો
જામનગરમાં કોરોના મૃતકોના આંકડામાં તંત્ર ગોલમાલ કરી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જામનગરમાં 261 દર્દીઓના કોરોના ગાઇડલાઇનથી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. જ્યારે સરકારી ચોપડે કોરોના મૃત્યુઆંક માત્ર 21 બતાવાયો. મૃત્યાંક અંગે હોસ્પિટલ પણ માહિતી નથી આપી રહ્યું. એટલે કે તંત્ર દ્વારા કોરોના મૃત્યુઆંક સતત છૂપાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં કોરોનાના સરકારી આંકડા
અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આજના કોરોનાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર છેલ્લા 24 કલાકમાં 1379 નવા કેસ સાથે કુલ આંકડો 1,19,088 પર પહોંચ્યો છે. તો આજે 1,652 દર્દીઓ સાજા થયા અને 14 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3273 દર્દીઓના મોત થયા છે. જ્યારે 16007 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
આ 4 જિલ્લામાં 200થી વધુ દર્દીઓ સાજા થયા
આજે 1,652 દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 99808 પર પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.81 ટકા થયેલ છે. તો આજે 4 જિલ્લામાં 200થી વધુ દર્દીઓ સાજા થયા છે. જેમાં સુરતમાં 290, અમદાવાદમાં 224, રાજકોટમાં 237 અને મહેસાણામાં 203 દર્દીઓ સાજા થયા છે. તો જામનગરમાં 120 અને વડોદરામાં 119 દર્દીઓ સાજા થયા છે.
આજે સૌથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં આજે સૌથી વધુ 85,620 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 36,09,808 ટેસ્ટ કરવામાં આવ્યા. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા નીચે મુજબ છે.