કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષ વર્ધને કહ્યું છે કે કોરોના વાયરસે આપણને ખાસ સંદેશ આપ્યો છે. તેણે શીખવ્યું છે કે હવે કંઈક નવું થશે જે સામાન્ય હશે પણ આપણને નવી જીવનશૈલીને લઈને વધારે સાવધાન અને સજાગ કરશે, તેઓએ કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની વેક્સીન વિકસિત કરી શકાય તેવી આશા છે. આ સિવાય દિવાળી સુધીમાં કોરોના કંટ્રોલમાં આવવાની આશા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ કરી મોટી જાહેરાત
વર્ષના અંત સુધીમાં આવી શકે છે કોરોના વેક્સીન
દિવાળી સુધીમાં આવી શકે છે કોરોના કંટ્રોલમાં
દેશમાં કોરોના વાયરસના દર્દીઓનો આંક રવિવારે 36 લાખને પાર થઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં 36 લાખ 19 હજાર 169 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. મૃત્યુ પામનારની સંખ્યા 65 હજાર પહોંચી છે. દેશમાં અનેક પ્રકારની કોરોના વેક્સીન પર કામ ચાલી રહ્યું છે પરંતુ કોઈ ખાસ પરિણામ મળ્યું નથી. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષ વર્ધને રવિવારે આશા રાખતાં કહ્યું છે કે દિવાળી સુધીમાં કોરોના કંટ્રોલમાં આવશે અને સાથે જ વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સીન પણ આવી જશે.
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ નેશન ફર્સ્ટ વેબ સેમિનારમાં કહ્યું કે થોડા સમય બાદ કોરોના પણ અતીતમાં આવેલા અન્ય વાયરસની જેમ ફક્ત સ્થાનિક સમસ્યા બની જશે. કોરોનાએ શીખવ્યું છે કે કંઈક નવું થશે અને સાથે જીવનશૈલીને લઈને સાવધાન અને સજાગ રહેવું પડશે. વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની વેક્સીન વિકસિત કરાય તેવી આશા છે.
સંક્રમણથી સાજા થનારાની સંખ્યા પહોંચી 27 લાખને પાર
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના સંક્રમણથી સાજા થનારાની સંખ્યા 27 લાખને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 64935 લોકો સાજા થયા છે. કોરોનાના સક્રિય કેસની સરખામણીએ 3.55 ગણા લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ 76.61 ટકા પહોંચ્યો છે. જ્યારે મૃત્યુદર 1.79 ટકા રહ્યો છે. એમ પણ જાણવા મળ્યું છે કે સારવાર કરાવી રહેલા કુલ સંક્રમિતોની સંખ્યા 21.60 ટકા છે.
દુનિયામાં કોરોના વાયરસના આટલા કેસ
દુનિયામાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 2 કરોડ 53 લાખ 22 હજાર 300 કેસ આવ્યા છે. તેમાંથી 1 કરોડ 76 લાખ 40 હજાર 78 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 8 લાખ 48 હજાર 989 લોકોના મોત થયા છે. અત્યારસુધી 68 લાખ 33 હજાર 233 દર્દી એવા છે જેની સારવાર ચાલી રહી છે.