દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 3 લાખ 66 હજાર 946 થઈ છે. એક દિવસમાં રેકોર્ડ બ્રેક 12881 નવા કેસ મળ્યા છે. આ સાથે જ 334 દર્દીના મોત પણ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળતી માહિતી અનુસાર દેશમાં હવે કોરોનાના 1 લાખ 60 હજાર 364 એક્ટિવ કેસ છે. કોરોનાથી દેશમાં અત્યારસુધીમાં 12237 લોકોના મોત નીપજ્યા છે. તો અન્ય તરફ કુલ 1 લાખ 94 હજાર 324 લોકો રિકવર થયા છે.
દેશમાં વધ્યું કોરોના સંક્રમણ
એક દિવસમાં 12881 નવા કેસ, 334 દર્દીના મોત
કોરોનાનો કુલ આંક 3.66 લાખને પાર પહોંચ્યો
છેલ્લા 50 દિવસમાં ભારતમાં કોરોનાના કેસમાં 11 ગણો વધારો થયો છે અને 12 ગણા મોત પણ થયા છે. દુનિયામાં અત્યાર સુધીમાં 83.43 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમાંથી કુલ 4.48 લાખ લોકોના મોત થયા છે.
भारत में पिछले 24घंटों में #COVID19 के सर्वाधिक 12,881नए मामले सामने आए, 334 लोगों की मौत हुई। देश में अब कोरोना पॉजिटिव मामलों की कुल संख्या 3,66,946 है जिसमें 1,60,384सक्रिय मामले, 1,94,325ठीक/डिस्चार्ज/विस्थापित मामले,12,237 मौतें शामिल हैं: स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय pic.twitter.com/5FJeDX1KYl
અહીં બુધવારે કોરોનાના 583 દર્દીઓ આવ્યા અને 30ના મોત થયા. પ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા 15 હજાર 181 થઈ છે. તેમાંથી 5477 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યારસુધીમાં 465 લોકોના મોત થયા છે. અહીં રિકવરી રેટ 61 ટકાએ પહોંચ્યો છે.
ગુજરાતના આવા છે હાલ
ગુજરાતમાં કોરોનાના કુલ 25 હજાર 148 કેસ છે. ગઈકાલે અહીં કોરોનાના 520 નવા કેસ આવ્યા હતા. કોરોનાના હજુ પણ 6149 એક્ટિવ કેસ અહીં છે. અત્યારસુધીમાં આ વાયરસથી 1561 દર્દીઓનો જીવ ગયો છે અને 17438 દર્દીઓ સાજા થયા છે.
મહારાષ્ટ્રમાં આટલે પહોંચ્યો કોરોનાનો આંક
મહારાષ્ટ્રમાં બુધવારે 3307 દર્દીઓ નવા આવ્યા છે. અહીં એક દિવસમાં 114 લોકોએ પોતાનો જીવ ખોવ્યો છે. મુંબઈમાં 1365, થાણેમાં 839, પુનામાં 362 કેસ વધ્યા છે. રાજ્યમાં સંક્રમિતનો આંક 1 લાખ 16 હજાર 752 થયો છે. તેમાંથી 51 હજાર 922 એક્ટિવ કેસ છે. અહીહં કોરોનાથી અત્યારસુધીમાં 5651 મોત થયા છે.