રસીકરણના બે ડોઝની વચ્ચે સમયનું અંતર ઘટાડવાનો સમય આવી ગયો છે. જાણો એક્સપર્ટ્સે કેમ આવું કહ્યું...
વધારેમાં વધારે રસીનો બીજો ડોઝ પુરો કરવા પર ફોકસ કરવું જોઈએ- એક્સપર્ટ્સ
એક વ્યક્તિને સંપૂર્ણ વેક્સીનેટ થવામાં 84 દિવસ લાગશે- એક્સપર્ટ્સ
યુકેએ પોતાના વેક્સિનેશનના પ્રોટોકોલમાં ફેરફાર કર્યો
વધારેમાં વધારે રસીનો બીજો ડોઝ પુરો કરવા પર ફોકસ કરવું જોઈએ- એક્સપર્ટ્સ
એક્સપર્ટનું કહેવું છે કે હવે વધારેમાં વધારે રસીનો બીજો ડોઝ પુરો કરવા પર ફોકસ કરવું જોઈએ. આ અંગે વાત કરતા કોવિડ એક્સપર્ટ અને કમ્યૂનિટી મેડિસિનના એચઓડી ડો. જુલર કિશોરે કહ્યું કે ,દેશમાં લગભગ 80 ટકા કોવિશીલ્ડ રસીનો ઉપયોગ થઈ રહ્યો છે અને બીજા ડોઝ માટે 84 દિવસનો ગેપ છે. દિલ્હીમાં લગભગ 87 ટકા લોકોને ઓછામાં ઓછો એક ડોઝ લાગી ચૂક્યો છે. જેના કારણે એક વ્યક્તિને સંપૂર્ણ વેક્સીનેટ થવામાં 84 દિવસ લાગશે. હવે આને બદલવાનો સમય આવી ગયો છે. નોંધનીય છે કે ફક્ત 47 ટકા લોકોને જ 2 ડોઝ લાગ્યા છે. જ્યાં સુધી બન્ને ડોઝની ટકાવારી નહીં વધે. કોરોના સંક્રમણ અને અબનોર્મલ વેરિએન્ટનું સંકટ બની રહેશે. આને ઓછું કરવા માટે બે ડોઝ પુરા કરવાનું કામ કરવું જોઈએ અને આ માટે 4થી 6 અઠવાડિયા બાદ બીજો ડોઝ લગાવવાની જરુર છે.
યુકેએ પોતાના વેક્સિનેશનના પ્રોટોકોલમાં ફેરફાર કર્યો
ડો. અંશુમાને કહ્યું કે યૂકેએ પોતાના રસીકરણ પ્રોટોકોલમાં ફેરફાર કર્યો છે. ત્યા કોવિશીલ્ડ રસી જ છે અને તેમણે પ્રોટોકોલ રિવાઈઝ કરી પહેલાની જેમ 4થી 6 અઠવાડિયામાં બીજો ડોઝ આપવાનું શરુ કરી દીધું છે. એટલા માટે ભારત સરકારે પણ આ અંગે વિચાર કરવાની જરુર છે. પહેલા રસીની અછત હતી. સ્ટોક ઓછો હતો. પરંતુ હવે અવું નથી. જો એવું ન થયું તો નવો વેરિએન્ટ અને સંક્રમણનો ખતરો બનેલો રહેશે. તેમણે વધુમાં કહ્યું કે ચીન અને યુકેમાં નવી રીતે કોરોના આઉટબ્રેક થઈ રહ્યો છે. જેના અનેક કારણ છે. જેમાંથી એક રસીથી બનેલી એન્ટીબોડીનાં સ્તરમાં ઘટાડો છે.
... એબનોર્મલ વેરિએન્ટ બનવાનું સંકટ
ડોક્ટર અંશુમાને કહ્યું કે જો એવું નહીં થાય તો એબનોર્મલ વેરિએન્ટ બનવાનું સંકટ છે. જે રસીથી બનતી ઈમ્યૂનિટીને છેતરી શકે છે. તેમણે કહ્યું કે હાલ દેશમાં 3 પ્રકારની મિક્સ વસ્તી છે. એક જેમને એક ડોઝ લાગ્ય, બીજી જેમને બન્ને ડોઝ લાગ્યા અને ત્રીજી જેમને એક પણ ડોઝ નથી લાગ્યા. આમાંથી જો એક ડોઝ લેનાર સંક્રમિત થાય છે તો તેના ગળામાં વાયરસ મ્યૂટેડ થાય છે. જે એક નવા પ્રકારના વેરિએન્ટનો ખતરો હોઈ શકે છે. જે એબનોર્મલ અથવા હાઈબ્રિડ વેરિએન્ટની જેમ ખતરનાક હોઈ શકે છે. આને રોકવો પડશે નહીંતર આવનારા દિવસોમાં ભારતમાં સંક્રમણનું સંકટ વધી શકે છે.