કોરોના વાયરસની સામે દેશ જંગ લડી રહ્યો છે અને લૉકડાઉનના 40 દિવસ પૂરા થયા છે તો પણ કોરોના અટકવાનું નામ લેતો નથી. સંક્રમિત કેસની સંખ્યામાં પણ વધારો જ થઈ રહ્યો છે. હાલમાં 10 લાખ ટેસ્ટ પૂરા થતાં ખ્યાલ આવ્યો છે કે ભારતમાં અન્ય દેશો કરતાં ઈન્ફેક્શન રેટ ઓછો છે. ઈન્ફેક્શન રેટમાં ઘટાડો અને રિકવરી રેટમાં વધારો થવાથી મોદી સરકાર અને PM મોદી પણ ખુશ થયા છે.
રીકવરી રેટથી વધ્યો PM મોદીનો કોન્ફિડન્સ
દર્દીઓ ડબલ થવામાં લાગે છે 12 દિવસ
કોરોના સંક્રમણમાં મોટી રાહત, ડેથ રેટ પણ ઘટ્યો
કોરોના વાયરસ સામે ભારત સતત લડી રહ્યું છે ત્યારે લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવી રહી છે. જેનાથી અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવી શકાય. આ ઢીલ સરકાર ત્યારે જ આપી શકે જ્યારે તેમને પોઝિટિવ સંકેત મળ્યા હોય. તેમાં ઈન્ફેક્શન રેટ, ડેથ રેટનો ઘટાડો સામેલ છે. આ સાથે ભારતનો કોરોના રીકવરી રેટ સારો જોવા મળી રહ્યો છે. હાલ સુધીમાં 10,886 લોકો સારવાર બાદ સાજા થઈ ચૂક્યા છે.
રીકવરી રેટથી વધ્યો PM મોદીનો કોન્ફિડન્સ
કોરોના વાયરસને કારણે દેશ જાણે કે રોકાઈ ગયો છે. વધારે રીકવરી રેટના કારણે PM મોદીએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં 10,886 લોકો સાજા થયા છે. આ રીકવરી રેટના 22 ટકા ગણવામાં આવી રહ્યો છે. આ કારણે મોદી સરકારમાં અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી બાબતોમાં છૂટ આપવાનું વિચારી રહી છે. મળતી માહિતી અનુસાર આશા રાખવામાં આવી રહી છે કે મે મહિનાના અંત સુધીમાં રીકવરી રેટ 50 ટકા સુધી પહોંચી જશે.
देश का डब्लिंग रेट 3 दिन था जो 12 दिनों से ऊपर हो गया है। 11000 से ज्यादा लोग ठीक हो गए हैं बाकि सारे लोग रिकवरी पर हैं। मृत्यु दर दुनिया में सबसे कम है केवल 3%। रोजाना भारत में 75000 टेस्ट किए जा रहे हैं: केंद्रीय मंत्री डॉ. हर्षवर्धन https://t.co/lByW7VHEHT
10 લાખ ટેસ્ટ થયા પૂરા, ઈન્ફેક્શન રેટ યૂએસ અને ઈટલીથી પણ ઓછો
દેશમાં કોરોના વાયરસના 10 લાખ ટેસ્ટ પૂરા થયા છે. તેમાં ઈન્ફેક્શન રેટ 4 ટકાથી વધ્યો નથી. અંદાજે 4.5 ટકાથી ઘટીને 3.8 ટકા થયો છે. એટલું જ નહીં ટેસ્ટિંગના આંકડા પર નજર કરીએ તો તે અમેરિકા, ઈટલી, સ્પેન, તુર્કી અને જર્મનીથી વધારે સારા છે.
દર્દીઓ ડબલ થવામાં લાગે છે 12 દિવસ, પહેલાં થતા હતા 10.50 દિવસ
દેશમાં કોરોના કેસ ડબલ થવામાં હવે પહેલાંથી વધારે સમય લાગી રહ્યો છે. છેલ્લા 14 દિવસમાં કેસ ડબલ થવાનો દર 10.50 દિવસ હતો. રવિવારથી તે સમય 12 દિવસનો થયો છે.
ડેથ રેટ પણ ઘટ્યો
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું છે કે ભારતમાં આ બીમારીથી મૃત્યુ પામનારની સંખ્યા દુનિયામાં સૌથી ઓછી છે. અહીં મૃત્યુદર 3.2 ટકા છે. જે દુનિયામાં સૌથી ઓછો છે. હાલ સુધીમાં 10632 કોરોના દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
રાજ્યો જ્યાં કોરોનાનો ખતરો વધારે છે
કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાતનું નામ છે. મધ્યપ્રદેશનો પોઝિટિવ રેટ 7.6 ટકા, દિલ્હીનો 7.3 ટકા, મહારાષ્ટ્રનો 7.2 ટકા અને ગુજરાતનો 6.9 ટકા છે. એપ્રિલમાં તમિલનાડુનો પોઝિટિવ રેટ 9.2 ટકા હતો. હાલમાં તે 2 ટકા પહોંચ્યો છે.