દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસની સાથે પીએમ મોદી આજે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે 3 બેઠક કરશે.
દેશમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ
પીએમ મોદી આજે બપોરે 3 વાગે કરશે બેઠક
મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક
દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસની વચ્ચે પીએમ મોદી શુક્રવારે એટલે કે આજે 3 બેઠક કરશે. મળતી માહિતિ અનુસાર પીએમ મોદી મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠક સવારે 9 વાગે કોવિડના મુદ્દાને લઈને, 10 વાગે મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. આ પછી બપોરે 12.30 મિનિટે ઓક્સીજન સંકટને લઈને બેઠક કરશે. દેશના ઓક્સીજન નિર્માતાઓની સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે.
Tomorrow, will be chairing high-level meetings to review the prevailing COVID-19 situation. Due to that, I would not be going to West Bengal.
દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસની સાથે પીએમ મોદી સ્થિતિની સમીક્ષા કરવા માટે નિયમિત બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. મંગળવારે તેઓએ રાષ્ટ્ર સંબોધન કર્યું હતું. દેશમાં કોરોનાના 3 લાખથી વધુ કેસ આવ્યા છે ત્યારે વર્લ્ડોમીટર અનુસાર દેશમાં એક દિવસમાં 3. 32 લાખ કેસ આવ્યા છે અને 2256 લોકોના મોત થયા છે.
ઓક્સીજનની જમાખોરીને લઈને કડક કાર્યવાહી કરો- પીએમ
આ પહેલા પીએમ મોદીએ ગુરુવારે ઓક્સીજનની આપૂર્તિ અને ઉપલબ્ધતાને લઈને આયોજિત બેઠકમાં કહ્યું કે રાજ્ય સરકારે ઓક્સીજનની જમાખોરીને લઈને કડક કાર્યવાહી કરવાની છે. પીએમએ કહ્યું હતું કે રાજ્યોને સુચારુ અને અબાધિત રીતે કામ કરવામાં ઓક્સીજનની આપૂર્તિ મળી રહે. મુશ્કેલી આવશે તો જવાબદારી નક્કી કરાશે. પીએમ મોદીએ હોસ્પિટલમાં ઓક્સીજનની આપૂર્તિને માટે નવોન્મેષી રીતનો ઉપયોગ કરવાનું સુચન કર્યું છે.
PMOથી મળી રહી છે આ જાણકારી
પીએમઓના આધારે પીએમ મોદીએ ભાર પૂર્વક કહ્યું છે કે રાજ્યોને ઝડપથી ઓક્સીજન પહોંચાડવામાં આવે. આ સાથે આ માટે ચર્ચા પણ કરાઈ છે કે ટેન્કરોને ઝડપથી અને રોક્યા વિના લાંબા અંતર સુધી પહોંચાડવા માટે રેલ્વેનો ઉપયોગ થઈ રહ્યો છે. પહેલા તબક્કામાં 105 મેટ્રિક ટન એલએણઓ પહોંચાડવા માટે મુંબઈથી વિશાખા પટ્ટનમ પહોંચ્યો છે. આ રીતે ઓક્સીજનની આપૂર્તિમાં એકતરફી યાત્રાના સમયને ઘટાડવા માટે વિમાનની મદદથી પણ ઓક્સીજન ટેન્કર પહોંચાડવામાં આવી રહ્યા છે. ડોક્ટર્સે સમુદાયના પ્રતિનિધિઓને ઓક્સીજનના ઉપયોગની જરૂરિયાતને જણાવી છે. એવા કેટલાક રાજ્યો છે જેમાં એક ઓડિટે રોગીની સ્થિતિને પ્રભાવિત કરાયા વિના ઓક્સીજનની માંગ ઘટાડી છે.