આપણે કોવિડની બીજી લહેરની વચ્ચે છીએ. જો ખાસ પગલા ભરવામાં ન આવ્યા તો આવનારા 6-8 અઠવાડિયા 1 લાખ નવા મામલા આવી શકે છે.
આપણે કોવિડની બીજી લહેરની વચ્ચે છીએ
આવનારા 6-8 અઠવાડિયા 1 લાખ નવા મામલા આવી શકે છે
લોકો બેદરકાર થઈ રહ્યા હતા
શનિવારે દેશમાં લગભગ 40 હજાર નવા મામલા આવ્યા છે
દેશમાં કોરોના વાયરસના મામલામાં વૃદ્ધિ જારી છે. શનિવારે દેશમાં લગભગ 40 હજાર નવા મામલા આવ્યા છે અને 150 થી વધારે લોકોના મોત થાય છે. આ દરમિયાન કેન્દ્ર સરકારનું કહેવું છે કે જ્યારે કોરોનાના મામલા ઓછા આવી રહ્યા હતા. ત્યારે લોકો બેદરકાર થઈ રહ્યા હતા. આની સાથે લગ્નના સિઝનને લીધે કોરોનાના કેસમાં વૃદ્ધિ થઈ છે.
લોકોએ બેદરકારી શરૂ કરી દીધી છે
અંગ્રેજી અખબારના એક રિપોર્ટ અનુસાર નીતિ આયોગમાં સ્વાસ્થ્ય મામલાના સભ્ય ડો. વીકે પોલે કહ્યું કે લોકોએ બેદરકારી શરૂ કરી દીધી છે. આપણે એ સમજવું પડશે કે હજું પણ એક મોટો વર્ગ છે. જેના પર સંક્રમણનું સંકટ તોળાઈ રહ્યું ચે. ખાસ કરીને ગામોમાં આ સ્તર પર પોતાની સુરક્ષાને નબળી ન કરી શકાય. તેમણે કહ્યું કે સામૂહિક સમારોહથી બચવું જોઈએ.
આવનારા અઠવાડિયામાં હજું વધારે મામલા આવી શકે
ડો. પોલે કહ્યું કે હાઈ પોઝિટિવિટી રેટ વાળા જિલ્લામાં આરટી પીસીઆર તપાસને વધારવાની જરુર છે. કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે દેશમાં બીજી કોવિડની લહેરની વચ્ચે આ આવનારા અઠવાડિયામાં હજું વધારે મામલા આવી શકે છે.
આપણે કોવિડની બીજી લહેરની વચ્ચે - ડો. એનકે અરોડા
નેશનલ કોવિડ 19ના ટાસ્ક ફોર્સના ઓપરેશન્સ રિસર્ચ ગ્રુપના પ્રમુખ ડો. એનકે અરોડાએ એક ટીવી ચેનલને જણાવ્યું કે આપણે કોવિડની બીજી લહેરની વચ્ચે છીએ. જો ખાસ પગલા ભરવામાં ન આવ્યા તો આવનારા 6-8 અઠવાડિયા 1 લાખ નવા મામલા આવી શકે છે.
ઓછામાં ઓછા 30 સુપર સ્પ્રેડર મામલા મળ્યા
પંજાબના અધિકારીઓએ કહ્યું કે તેમને ઓછામાં ઓછા 30 સુપર સ્પ્રેડર મામલા મળ્યા છે. અહીં એક જ ઘટનાથી 10થી વધારે કોરોના સંક્રમણના કેસ જોવા મળ્યા છે. એક નોડલ અધિકારીએ કથિત રીતે કહ્યું કે લગભગ 75- 80 ટકા મામલામાં રોગિયોને લક્ષણો દેખાતા નથી અથવા હળવા લક્ષણો છે, દિલ્હીમાં ડોક્ટરોએ મામલામાં હાજર સમયમાં કોરોનાના મામલામાં તેજી માટે લગ્ન અને સામાજિક સમારોહને જવાબદાર માન્યા છે.