દેશમાં કોરોના પહેલા કરતા પણ ઘાતક બની રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં 6 લાખથી વધુ ભારતીયો સંક્રમિત થયા છે. દેશના 45 ટકા સક્રિય કેસ 10 જિલ્લાઓમાં છે.
દેશમાં બેકાબૂ બની રહી છે કોરોનાની બીજી લહેર
5 દિવસમાં 6 લાખથી વધુ ભારતીયો સંક્રમિત થયા
દેશના 45 ટકા સક્રિય કેસ 10 જિલ્લાઓમાં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે દેશના 45 ટકા સક્રિય કેસ 10 જિલ્લાઓમાં છે. મંત્રાલયનું કહેવું છે કે બીજી લહેરની અસર દરેક રાજ્યમાં જોવા મળી રહી નથી, પણ 10 રાજ્યોની સ્થિતિ સૌથી ખરાબ છે. મંત્રાલયના અનુસાર છેલ્લા 1 દિવસમાં 1 લાખ 52 હજાર 565 નવા કેસ આવ્યા છે.
83 ટકા દર્દીઓ ફક્ત આ રાજ્યોના
દેશમાં 83 ટકા દર્દીઓ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં મળ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં 58,993, છત્તીસગઢમાં 11447 અને યૂપીમાં 12787 કેસ આવ્યા છે. આ સાથે સક્રિય કેસની સંખ્યા વધીને 10,46,631 થઈ છે, ગયા વર્ષે 16-17 સપ્ટેમ્બરે દેશમાં સૌથી વધારે 97 બદાર દર્દીઓ એક દિવસમાં મળ્યા હતા. આ સમયે સક્રિય દર્દીની સંખ્યા 10 લાખથી વધારે હતી પણ આ વર્ષે આ આંકડો એપ્રિલમાં સામે આવ્યો છે.
સક્રિય દર 7.93 ટકા થયો
મળતી માહિતી અનુસાર દેશમાં કોરોનાનો સર્કિય રેટ 7.93 ટકાનો છે. 1 દિવસમાં 67023 સર્કિય દર્દીઓ વધી રહ્યા છે. આ સિવાય 1 દિવસમાં 77567 દર્દીઓ સાજા થયા છે પમ તેનાથી રિકવરી રેટને વધારે ફાયદો થયો નથી. રોજ નવા કેસ આવવાથી રિકવરી રેટ પણ 90.80 ટકા થયો છે. શુક્રવારે દેશમાં કોરોનાથી 794 લોકોના મોત થયા જેમાંથી 87 ટકા મોત એ 10 રાજ્યોમાં થયા છે જ્યાં કોરોનાના સૌથી વધારે કેસ છે.
40 દિવસમાં 7 ગણા વધ્યા મોત
આંકડા અનુસાર કોરોના વાયરસની બીજી લહેરમાં 7 ગણાથી પણ વધારે લોકોના મોત થયા છે. માર્ચના પહેલા અઠવાડિયામાં દેશમાં લગભગ 100-200 લોકોના મોત થતા હતા પણ હવે આ આંકડો 780-794 સુધી પહોંચ્યો છે. દેશમાં એક દિવસમાં સૌથી વધારે મોત 1100 થઈ હતી. જે ગયા વર્ષના સપ્ટેમ્બરનો આંકડો છે.
ટેસ્ટિંગમાં સ્થિરતા નહીં
મહામારીની બીજી લહેરનો સામનો કરી રહેલા દેશમાં હાલમાં કોરોનાની તપાસમાં સ્થિરતા આવી રહી નથી. આઈસીએમઆરના આંકડા કહે છે કે 2400થી વધારે લેબમાં સુવિધા બા પણ એક દિવસમાં 11.47 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. પહેલા આ આંક 13 લાખથી વધારે હતો. હાલની સ્થિતિ જોઈએ તો એક દિવસમાં 20 લાખ સેમ્પલની તપાસ કરવાની ક્ષમતા છે. પણ ક્ષમતાના 50-60 ટકા ઉપયોગ થઈ રહ્યો છે.
ભારતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ આવતાં ફરી એક વાર હાહાકાર મચ્યો છે. ભારતમાં કોરોનાના એક દિવસના કેસ 1 લાખ 52 હજાર 565 નવા કેસ આવ્યા છે. દેશમાં કોરોનાથી એક દિવસમાં 90 હજાર 328 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. તો દેશમાં કોરોનાથી એક દિવસમાં 838ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 11 લાખ 2 હજાર 370 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 33 લાખ 55 હજાર 465 નોંધાઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 20 લાખ 78 હજાર 333 પહોંચી છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 69 હજાર 305 થયો છે.