મહારાષ્ટ્રના લોકડાઉનની સ્થિતિ આવી છે અને 31 માર્ચ સુધી અહીં ગાઈડલાઈન જાહેર કરાઈ છે તો અમદાવાદમાં પણ બજારો બંધ કરાયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાએ વધાર્યું ટેન્શન
પંજાબમાં બોર્ડની પરીક્ષાઓ થઈ કેન્સલ
31 માર્ચ સુધીની ગાઈડલાઈન થઈ જાહેર
દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. કેસ વધતાં જ મુશ્કેલીનો સામનો કરવાનું પણ વિકટ બની રહ્યું છે. મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોકડાઉન આવ્યું છે. 31 માર્ચ સુધી અહી ખાસ પ્રકારની ગાઈડલાઈન્સ જાહેર કરાઈ છે.
पंजाब शिक्षा विभाग ने कक्षा 10 और कक्षा 12 की परीक्षाओं को स्थगित कर दिया है। ये परीक्षाएं पहले 22 मार्च और 9 अप्रैल के बीच होने वाली थी। अब कक्षा 10वीं की परीक्षाएं 4 मई से 24 मई के बीच होगी और कक्षा 12 की परीक्षाएं 20 अप्रैल से 24 मई के बीच कराई जाएगी।
પંજાબમાં પરીક્ષાઓ કેન્સલ તો ટી-20 મેચ અને ગુજરાતના ખાણીપીણી બજારો પણ રાતે 10 પછી કરાયા બંધ
પંજાબમાં વધતા કોરોનાને ધ્યાનમાં રાખીને 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ પણ કેન્સલ કરાઈ છે. આ સાથે જ ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે અમદાવાદના પીએમ મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચ પણ દર્શકો વિના જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ ખાણીપીણીના બજારો રાતે 10 વાગ્યા બાદ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
महाराष्ट्र में पिछले 24 घंटों में #COVID19 के 15,051 नए मामले सामने आए हैं। 10,671 लोग डिस्चार्ज हुए और 48 लोगों की मृत्यु दर्ज़ की गई।
મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે કેસ
મહારાષ્ટ્રમાં ગઈકાલે એટલે કે સોમવારે 15051 નવા કેસ સામે આવ્યા છે અને સાથે જ 48 લોકોના મોત થયા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 1,03,547 છે. સોમવારે 10,671 લોકો કોરોનાથી રિકવરી પામ્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 92.07 ટકા જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી ડેથ રેટ 2.27 ટકા રહ્યો છે. અત્યારે રાજ્યમાં 6,23,121 લોકો હોમ ક્વોરન્ટાઈન થયા છે. તો 6114 દર્દીઓ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન છે. રાજ્યમાં અત્યારે સંક્રમણનો રેટ 13.23 ટકા જોવા મળી રહ્યો છે.
दिल्ली में पिछले 24 घंटों में #COVID19 के 368 नए मामले सामने आए। 306 लोग डिस्चार्ज हुए और 3 मृत्यु दर्ज़ की गई।
દિલ્હીમાં આવી છે સ્થિતિ
અહીં છેલ્લા 24 કલાકમાં 306 દર્દીઓ સાજા થયા છે તો છેલ્લા 24 કલાકમાં 62272 લોકોના કોરોના ટેસ્ટ થયા છે. ટેસ્ટનો કુલ આંક 1,33, 58,365 થયો છે. રાજ્યમાં કોરોના ડેથ રેટ 1.7 ટકા જોવા મળી રહ્યો છે. અહીં હાલમાં કુલ 548 કન્ટેનમેન્ટ ઝોન છે.
છેલ્લા 1 સપ્તાહમાં દેશમાં નોંધાયેલા કુલ કેસમાં 61 ટકા કેસ મહારાષ્ટ્રના
પંજાબ, કર્ણાટક, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે જ હરિયાણા, આંધ્રપ્રદેશ, દિલ્લી, ચંદીગઢમાં પણ કેસ વધી રહ્યા છે. વર્ષની શરૂઆતમાં દરરોજ 10 હજાર કેસ નોધાતા હતા જે સંખ્યા હવે વધીને રોજના 25 હજારથી વધારેની નોંધાય છે.
कोरोना वायरस के 78.41% नए मामले महाराष्ट्र, पंजाब, कर्नाटक, गुजरात और तमिलनाडु से हैं। 63.21% नए मामले अकेले महाराष्ट्र से हैं: केंद्रीय स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय #COVID19
એક દિવસમાં ભારતમાં કોરોનાના નવા કેસ 24 હજાર 437 નોંધાયા છે તો એક દિવસમાં દેશમાં કોરોનાથી 20 હજાર 186 દર્દી સ્વસ્થ થયા છે. એક દિવસમાં ભારતમાં કોરોનાથી 130ના મૃત્યુ પામ્યા છે. આ સાથે ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 2 લાખ 20 હજાર 401 થયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 14 લાખ 9 હજાર 595 થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 10 લાખ 25 હજાર 631 થઈ છે તો દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 58 હજાર 892 જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આવી છે કોરોનાની સ્થિતિ
ગુજરાતની વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં 890 કેસ આવ્યા છે. તો 594 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં 1 વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. સુરતમાં 240, અમદાવાદમાં 205, રાજકોટમાં 79, વડોદરામાં 76 નવા કેસ આવ્યા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 4717 છે. 4661 લોકોની તબિયત સ્થિર છે તો 56 લોકો વેન્ટિલેટર પર છે.
Due to rising COVID-19 cases, remaining T20 International Matches between India and England will be played without audience at Narendra Modi Stadium (in file photo) in Ahmedabad. Refund will be given to the spectators who have purchased tickets: Gujarat Cricket Association pic.twitter.com/UaGf9NBvZA