કોરોનાના વધતા કેસના કારણે અનેક જિલ્લાઓ પર લોકડાઉનનું સંકટ તોળાઈ રહ્યું છે.
સ્વાસ્થ્ય પ્રણાલી પર ભારણ વધશે
સંક્રમણની ચેન તોડવા પર ભાર
દેશમાં સતત એક અઠવાડિયામાં 3 લાખથી વધારે નવા મામલા
નહીંતર સ્વાસ્થ્ય પ્રણાલી પર બહું વધારે ભારણ વધી જશે
દેશમાં દર રોજ કોરોના કેસ અને મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે અનેક જિલ્લાઓ પર લોકડાઉનનું સંકટ તોળાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું માનવું છે કે જો જલ્દી આ જિલ્લાઓમાં લોકડાઉન નહીં લગાવવામાં આવે તો કેસોનું ભારણ હજું વધી શકે છે. આ સંદર્ભમાં મંત્રાલયએ એક પ્રસ્તાવ મોકલીને કહ્યુ છે કે જે 150 જિલ્લામાં 15 ટકાથી વધારે પોઝિટિવિટી રેટ છે. ત્યાં જરુરી સેવાઓમાં છુટ આપીને લોકડાઉન લગાવવું પડશે. નહીંતર સ્વાસ્થ્ય પ્રણાલી પર બહું વધારે ભારણ વધી જશે.
હાઈલેવલ મીટિંગમાં લોકડાઉનની તરફેણ કરી હતી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે એક હાઈલેવલ મીટિંગમાં આની તરફેણ કરી હતી, પરંતુ રાજ્ય સરકારોએ સવાહ આપ્યા બાદ કેન્દ્ર અંતિમ નિર્ણય લેશે. આ નિર્ણયને હજું વધારે સંશોધિત કરી શકાય છે. જો કે મંત્રાલયનું માનવું છે કે હજું કેસ લોડ પર પોઝિટિવિટી રેટને નિયંત્રિક કરવુ જરુરી છે.
સંક્રમણની ચેન તોડવા પર ભાર
એક અંગ્રેજી અખબારના જણાવ્યાનુસાર એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે અમારા વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે બહું વધારે પોઝિટિવિટી રેટ વાળા જિલ્લાઓમાં આવાનારા કેટલાક અઠવાડિયામાં કડક લોકડાઉન લગાવવુ પડશે. જેથી સંક્રમણની ચેન તોડી શકાય.
સ્વાસ્થ્ય પ્રણાલી પર ભારણ વધશે
સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ કેટલાક રાજ્યોમાં મહામારીની બીજી લહેર દરમિયાન વધતા પોઝિટિવિટી રેટ પર ચિંતા વ્યક્ત કરી. જેના પરિણામ સ્વરુપ સ્વાસ્થ્ય પ્રણાલી પર ભારણ વધશે. કેન્દ્રએ પહેલા જ રાજ્યોને બિનજરુરી અવરજવરને મર્યાદિત કરવાની સલાહ આપી છે.
દેશમાં સતત એક અઠવાડિયામાં 3 લાખથી વધારે નવા મામલા
ત્યારે દેશમાં સતત એક અઠવાડિયામાં 3 લાખથી વધારે કોરોનાના નવા મામલા સામે આવ્યા છે. વર્લ્ડોમીટરના જણાવ્યાનુસાર દેશમાં મંગળવારે 3, 62, 902 મામલા સામે આવ્યા છે. ત્યારે 3285 લોકોના મોત થયા છે. માર્ચ બાદથી એક્ટિવ કેસ લોડ સતત વધી રહ્યા છે અને સોમવારે 28.8 લાખ નવા મામલા સુધી પહોંચી ગયા હતા. આઠ રાજ્યો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં કુલ કેસ લોડના 69 ટકા મામલા છે. દરેક રાજ્યોમાં 1 લાખથી વધારે એક્ટિવ કેસ છે.