Coronavirus / કોરોનાથી ભારતમાં પ્રથમ મોત બાદ આ શહેરમાં વધુ એક દર્દી સંક્રમિત થયાની પુષ્ટિ, જાણો કુલ આંકડો કેટલો

Coronavirus In India Karnataka Kerala Delhi UP Rajasthan Tamil Nadu Haryana Punjab

કોરોનાવાયરસને કારણે દેશમાં પ્રથમ મૃત્યુ કેસની પુષ્ટિ થઈ છે. તો અન્ય તરફ ગુરુવારે પુણેમાં બીજા કોરોના વાયરસથી સંક્રમિત દર્દી નોંધાયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 74 કેસ નોંધાયા છે, જેમાં 57 ભારતીય અને 17 વિદેશી નાગરિકો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કોરોના વાયરસ અંગેની તકેદારીના ભાગરૂપે બિનજરૂરી વિદેશ યાત્રા ન કરવાની સલાહ આપી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ ગભરાઈ ન જાય, પણ કાળજી લે. રાષ્ટ્રપતિ ભવન 13 માર્ચથી (આજથી) આગળની સૂચના સુધી બંધ કરવામાં આવ્યું છે. આ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 31 માર્ચ સુધીમાં તમામ થિયેટરો અને મલ્ટીપ્લેક્સને દિલ્હીમાં બંધ કરવાનો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ